લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : દીકરા અને દીકરીના લગ્ન લખાય, તે પહેલા તો પરિવારના ત્રણ ભાઈઓના મૃત્યુ…

Published on: 10:17 am, Sun, 10 April 22

હળવદના દિધડિયા ગામમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે દિવાલ પડવાના કારણે ત્રણ લોકો કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ કાંજિયા પરિવારના હકાભાઈના દીકરી અને દીકરાના લગ્ન રવિવારના રોજ લખવાના હતા.

લગ્ન લખવાના હોવાના કારણે હકાભાઇ, વિપુલભાઈ અને પિતરાઈ ભાઈ મહેશભાઈ પ્લોટની સાફ સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન બાજુની મકાનની દીવાલ અચાનક આવતા ત્રણેય ભાઈઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ કારણોસર ત્રણ અને ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાના પગલે ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ત્રણેય ભાઈઓને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે ત્રણેય ભાઈઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

પરિવારમાં દીકરા અને દીકરી ના લગ્ન લખવાના હોવાના કારણે પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલુ હતી. આજરોજ દીકરી અને દીકરાના લગ્ન લખવાના હતા. જેના કારણે ગઈ કાલે હકાભાઇ, મહેશભાઈ અને વિપુલ ભાઈ પ્લોટની સાફ સફાઈ કરી રહ્યા હતા.

ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણેયના કરૂણ મૃત્યુ થયા છે. આ કારણોસર પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો છે. એક સાથે ગામમાં ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. હકાભાઇ અને વિપુલ ભાઈ બંને સગા ભાઈઓ છે અને મહેશભાઈ તેમના પિતરાઈ ભાઈ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : દીકરા અને દીકરીના લગ્ન લખાય, તે પહેલા તો પરિવારના ત્રણ ભાઈઓના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*