લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુની સહાય…! મોરારીબાપુ પરિવાર દીઠ આટલા હજાર રૂપિયા આપવાની કરી જાહેરાત…

Published on: 10:38 am, Tue, 2 August 22

ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટના બનતા જ ચારે બાજુમાંતમ છવાઈ ગયો હતો. લઠ્ઠાકાંડના કારણે કેટલાય હસ્તા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. ત્યારે તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલા લોકોના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી પૂજ્ય મોરારીબાપુ દ્વારા રાહત રાશિનું અર્પણ કરવામાં આવ્યું છે.

થોડાક દિવસો પહેલા બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામડાઓમાં ઝેરી દારૂ પીવાના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હજુ પણ અનેક લોકોની સારવાર ચાલી રહે છે.

લઠ્ઠાકાંડના કારણે ઘણા પરિવારો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. દારૂની રચના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ત્યારે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મદદ માટે પૂજ્ય મોરારીબાપુ આગળ આવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને મોરારીબાપુએ 5000 રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે. લગભગ 2 લાખ 50 હજાર રૂપિયાથી પણ વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ જઈ પહોંચતી કરવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું કે લઠ્ઠાકાંડના કારણે કેટલાય પરિવારોની નિ:સહાય બન્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહે છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુની સહાય…! મોરારીબાપુ પરિવાર દીઠ આટલા હજાર રૂપિયા આપવાની કરી જાહેરાત…"

Leave a comment

Your email address will not be published.


*