મોરારીબાપુએ ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા ભાવનગરવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી.. મૃતકોના પરિવારજનોને આટલા હજાર રૂપિયાની સહાયની જાહેરાત…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. હાલમાં જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક આખી બસ ખાઈ માં પડી ગઈ હતી. જેમાં ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગર જિલ્લાના સાત યાત્રિકોના ગંગોત્રી હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે.

જેના કારણે મોરારીબાપુ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, મૃતકોના પરિવારને 15,000 લેખે સહાય આપવાની જાહેરાત કરી છે. વિગતવાર જાણીએ તો ઉત્તર કાશી ખાતે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓને લઈને એક બસ ગંગોત્રી તરફ જઈ રહી હતી.

આ દરમિયાન કોઈપણ કારણ હોય પરંતુ દુર્ઘટનાગ્રસ્ત થતા સાત લોકોના દુઃખદ અવસાન થયા હતા. અનેક લોકો ઘાયલ થયા છે, મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રૂપિયા 15 હજાર લેખે કુલ મળીને રૂપિયા એક લાખ પાંચ હજાર ની સહાય અર્પણ કરી છે.

તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે, તમામ અમૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ કરુણ માર્ગ દુર્ઘટના માં જેવો ઘાયલ થયા છે તેઓ ઝડપથી તેમનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*