જય માં મોગલ : બહેને પોતાના બીમાર ભાઈ માટે 50 હજાર રૂપિયા ચડાવવાની માં મોગલની માનતા રાખી, ત્યારે થયો એવો ચમત્કાર કે ભાઈ…

Published on: 6:33 pm, Mon, 30 May 22

આપણે સૌ જાણીએ છીએ કે બધા જ સંબંધ પૈકી ભાઈ-બહેનનો સંબંધ અનેરો જ હોય છે અને ભાઈ બહેનનો પ્રેમ પણ અનોખો હોય છે. ભલે બંને એકબીજા સાથે ઝઘડતા હોય પરંતુ જ્યારે બંનેમાંથી કોઈ પણ એક ને તકલીફ પડે ત્યારે હંમેશા મદદ માટે સૌથી પહેલા એ જ દોડી આવે છે એ જ કહેવાય ભાઈ બહેન નો પ્રેમ. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં પોતાની બહેનને ભાઈ માટે માનતા માની હતી.

માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે માં મોગલ તો બધા જ વર્ણની માતા કહેવાય અને ભકતો પણ ખૂબ જ શ્રદ્ધાથી અને આસ્થાથી માં મોગલ ને માનતા હોય છે અને માં મોગલ તેમની અવશ્ય બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોગલે ઘણીવાર પરચા પણ બતાવ્યા છે.એવો જ એક પરચો આ બહેન ઉપર બતાવ્યો કે જે તેની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ આવી પહોંચી. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામએ એ બહેન પોતાના ભાઈ સાથે માનતા પૂરી કરવા માટે આવી હતી.

ત્યારે મોગલ ધામ એ બિરાજમાન એવા મણીધર બાપુ એ બહેનને આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે આ શેની માનતા છે? ત્યારે તેણે કહ્યું હતું કે તેમના ભાઈ ની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને થોડા સમયથી ખૂબ જ બીમાર રહેતો હતો. ઘણી હોસ્પિટલમાં દવાઓ પણ કરાવી પરંતુ તેનો ભાઈ સાજો થતો ન હતો છેવટે મેં માં મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલની માનતા માની હતી.

એ મહિલા માનતા માની હતી કે તેનો ભાઈ જલ્દી સાજો થઈ જશે તો તે કબરાઉ ધામ આવીને 50000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરશે અને માનતા માન્યાના એકાદ વર્ષ પછી માં મોગલની કૃપા વર્ષી અને એ બહેનનો ભાઈ સાજો થઈ ગયો. જેનાથી એ બહેનને હરખનો પાર ના રહ્યો અને ખુશીના આંસુ જોવા મળ્યા.

તેથી આ મહિલાની માનતા પૂરી થતાની સાથે જ તે વર્ષે પોતાના ભાઈને લઈને માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ સ્થિત આવેલા મોગલધામ આવી પહોંચી હતી, ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ તો તારો માં મોગલ પ્રત્યેનો વિશ્વાસ છે. માં મોગલ પર વિશ્વાસ રાખવાથી બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે.

મણીધર બાપુએ એ મહિલાના પચાસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું હતું કે તું આ પૈસા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ સદાય તમારો ભલુ કરશે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય માં મોગલ : બહેને પોતાના બીમાર ભાઈ માટે 50 હજાર રૂપિયા ચડાવવાની માં મોગલની માનતા રાખી, ત્યારે થયો એવો ચમત્કાર કે ભાઈ…"

Leave a comment

Your email address will not be published.


*