ખાધતેલની કિંમતમાં ઘટાડવા માટે મોદી સરકારનો માસ્ટરપ્લાન! જાણો શું છે મોટો નિર્ણય?

Published on: 1:12 pm, Thu, 5 August 21

દેશની જનતાને કોરોનાની મહામારી સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે દેશમાં જીવન-જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે ખાદ્યતેલ થી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે.

]ત્યારે મળતા રિપોર્ટ અનુસાર CCEA ની બેઠકમાં આજે ખાવા ની કિંમતોને સરકાર નેશનલ એડિબલ ઓઇલ મિશનનું એલાન કરી શકે છે. મળતી માહિતી મુજબ આ મિશનનો મુખ્ય ઉદ્દેશ દેશમાં પામ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. તેમજ સરકાર દ્વારા આ મિશન હેઠળ 11000 કરોડની સ્કીમ નું એલાન કરી શકે છે.

પામ ઓઇલ નું સૌથી વધુ ઉત્પાદન ઇન્ડોનેશિયા કરે છે બીજા નંબરે મલેશિયા આવે છે. આ ઉપરાંત કેટલાક આફ્રિકન દેશો પણ પામ ઓઇલ ઉત્પાદન કરે છે. ખાદ્ય તેલના મામલામાં ભારતની આયાતનો 2 ત્રિતીયાંશ હિસ્સો માત્ર પામ ઓઇલનો છે.

મહેતા આંકડા મુજબ ભારત દેશ વાર્ષિક 90 લાખ ટન પામ ઓઇલની આયાત કરે છે. ભારત દેશ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ ઓઈલની આયાત કરે છે.

આ ઉપરાંત ભારત દેશ આર્જેન્ટિનાથી થોડી માત્રામાં ક્રુડ સોફ્ટ ઓઇલ આયાત થાય છે. તે સાથે યુક્રેન અને રુસથી સુરજમુખી તેલ આયાત કરવામાં આવે છે.

પામ ઓઇલ નો ઉપયોગ નાવાના સાબુ બનાવવા માટે ઉપયોગ થાય છે. તેમજ પામ તેલ તાડના ઝાડના બી માંથી કાઢવામાં આવે છે. તેમાં કોઇપણ પ્રકારની સુગંધ કે ગંધ હોતી નથી. તેના કારણે કોઈ પણ પ્રકારનું ભોજન બનાવવું હોય તો તેમાં તે ઉપયોગી છે. ઉપરાંત સમગ્ર દુનિયામાં કરોડો ટનની આસપાસ ઓઇલ પેદા થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાધતેલની કિંમતમાં ઘટાડવા માટે મોદી સરકારનો માસ્ટરપ્લાન! જાણો શું છે મોટો નિર્ણય?"

Leave a comment

Your email address will not be published.


*