મોદી સરકારે બાળકોને લઈને કર્યું મોટું એલાન! આ યોજના હેઠળ બાળકોને આપશે 5 સુધીનો…

Published on: 4:17 pm, Fri, 6 August 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે ટ્વિટ કરીને ખુબ જ મહત્વની વાતની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને જણાવ્યું કે આયુષ્માન યોજના હેઠળ બાળકોને 5 લાખ રૂપિયા સુધીનો ફી વીમો આપવામાં આવશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે તેનું પ્રીમિયમ સરકાર તરફથી ભરવામાં આવશે. મળતી માહિતી મુજબ બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેન્દ્રની મોદી સરકારે આ યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં 18 વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત ઈલાજ મળશે.

મળતી માહિતી મુજબ કેન્દ્રની મોદી સરકાર દ્વારા બાળકોને 5 લાખ રૂપિયા સુધીનો વિમો આપવામાં આવશે. તેમજ 23 વર્ષના બાળકોને 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.

જો તમારે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમારે PMCARESFORCHILDREN.IN પણ તમને યોજના વિશે વધુ માહિતી મળશે.

આ ઉપરાંત દેશમાં કોરોના ખૂબ જ ઘાતક સાબિત થયો હતો અને ઘણા બાળકોએ કોરોના ના કારણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને તેમની સુરક્ષા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

આ ઉપરાંત હરિયાણા સરકારે આવા બાળકોને દર મહિને 2500 રુપિયા આપવાની પણ ઘોષણા કરી છે તેમ જ ઉત્તર પ્રદેશ સરકારે પણ આવા માટે હેલો મુસ્કાન ની પણ શરૂઆત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે પણ યુનિસેફ સાથે હાથ મિલાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]

Be the first to comment on "મોદી સરકારે બાળકોને લઈને કર્યું મોટું એલાન! આ યોજના હેઠળ બાળકોને આપશે 5 સુધીનો…"

Leave a comment

Your email address will not be published.


*