ઓમિક્રોન વધતા કેસો વચ્ચે નાઈટ કરફ્યુ ને લઈને કેન્દ્ર ની મોદી સરકારે રાજ્યો ને આપ્યો આ આદેશ,તાબડતોડ અપાયો આ આદેશ

Published on: 10:00 am, Wed, 22 December 21

કેન્દ્રએ મંગળવારના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે કોરોનાવાયરસ નું નવું સ્વરૂપ ડેલ્ટા કરતાં ઓછામાં ઓછું ત્રણ ગણું વધુ સંક્રમિત છે અને આપાત કાલીન કેન્દ્રને સક્રિય કરતાની સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરે કડક અને તાત્કાલિક નિવારણ પગલાં લેવા જોઈએ.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી સચિવ રાજેશ ભૂષણે નાઇટ કરફ્યુ લાદવા તેમજ મોટા મોટા મેળાવડાઓનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહ માં હાજરી આપનાર લોકોની સંખ્યા ઘટાડવા, પરીક્ષણ અને દેખરેખ વધારવા ઉપરાંત વ્યૂહાત્મક નિર્ણયો લાગુ કરવા હાકલ કરી હતી.

આ પત્ર દેશના જુદા જુદા ભાગોમાં કોરોના ના કેસો માં વધારાના શરૂઆતના સંકેતો તેમજ ચિંતાજનક પેટર્ન ઓમિક્રોન ને શોધવા માટે જે પગલાં લેવાની જરૂર છે તેના પર પ્રકાશ પાડે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા સ્તરે કોરોના થી પ્રભાવિત વસ્તી, ભૌગોલિક પ્રસાર, હોસ્પિટલનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનો ઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટ ઝોન ને સૂચિત કરવા અને તેના અમલીકરણ વગેરેના સંદર્ભમાં ઉભરતા આંકડાઓની સમીક્ષા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઓમિક્રોન વધતા કેસો વચ્ચે નાઈટ કરફ્યુ ને લઈને કેન્દ્ર ની મોદી સરકારે રાજ્યો ને આપ્યો આ આદેશ,તાબડતોડ અપાયો આ આદેશ"

Leave a comment

Your email address will not be published.


*