આવતીકાલે ઉત્તરાયણના તહેવાર પર રાજ્યમાં હવામાન ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

Published on: 3:56 pm, Wed, 13 January 21

ઉત્તરાયણના તહેવાર માં રાજ્ય સરકારની કડક માર્ગદર્શિકા આવતા પતંગ રસિયાઓ દુખની લાગણી અનુભવી છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના લોકોની ચિંતા વધારી છે.ઠંડીમાં લોકો વહેલી સવારે પતંગ ઉડાવી શકે તેવી સ્થિતિ ગુજરાત રાજ્યમાં નહિ હોય.

ઉત્તરાયણના તહેવાર પર પવન વિશેની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદ શહેરમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે તેમજ પવનની ગતિ સાધારણ નહી હોય એટલે કે ધીમી હશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પવનની ગતિ સાધારણ નહિ હોય.હવામાન ખાતાના નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે ઉત્તરાયણના પર્વે ના રોજ પવન આઠ થી દસ કિમી ની ઝડપે પવન ફૂંકાશે.

પરંતુ સવારના સમયે પવનની ગતિ ઓછી રહેશે અને બપોર પછી પવનની ગતિ વધશે.પતંગ ચાહનારા લોકો માટે એક બાજુ માઠા સમાચાર છે તો એક બાદ ઉત્સાહજનક સમાચાર છે. ઉતરાયણનો તહેવાર અંગે રાજ્ય સરકારે નિર્ણય લઇને.

લોકોને કેટલીક સૂચનાઓ અને નિયંત્રણો સાથે મંજૂરી આપી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા નો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સરકારે અમદાવાદમાં વર્ષોથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આવતીકાલે ઉત્તરાયણના તહેવાર પર રાજ્યમાં હવામાન ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી."

Leave a comment

Your email address will not be published.


*