વરસાદ ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એપ્રિલ માં ગુજરાત માં પડશે કરા.

Published on: 10:29 am, Mon, 29 March 21

હોળીની જવાલાઓને આધારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને લઇને કેટલીક ચોંકાવનારી આગાહી કરી છે.આગામી ચોમાસા ને લઇને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

હોળી ની જવાળા ના આધારે આગામી ચોમાસા ની આગાહી કરવામાં આવી રહી છે.અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,માર્ચની કાળઝાળ ગરમી બાદ એપ્રિલમાં લોકોએ તૈયાર રહેવું પડશે.

કારણ કે એપ્રિલ મહિનામાં કરા પડશે.આમતો જૂન મહિનો વરસાદ નો કહેવો પણ આ વખતે વરસાદ ની ગતિવિધિઓ વહેલી રહેશે પરિણામે મે મહિનામાં જ વરસાદ ની સંભાવનાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,ગત વર્ષ 2020 કરતા 2021 માં વરસાદ ઓછો આવશે.એટલું જ નહિ પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની અનિયમિતતા રહેશે.

જયારે મધ્ય ગુજરાતમાં 98 ટકા વરસાદ ની શક્યતાઓ છે.ચોમાસુ સારુ રહેશે,પરંતુ વરસાદ ની અનીયમતતા રહેશે એટલે કે એક ધારો નહિ પડે પણ પડશે ત્યારે ખૂબ પડશે બાકી કોરું ધાકોર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદ ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એપ્રિલ માં ગુજરાત માં પડશે કરા."

Leave a comment

Your email address will not be published.


*