ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે…, દીકરાના મૃત્યુ ના સમાચાર સાંભળીને આઘાતમાં માતાનું પણ મૃત્યુ – એક સાથે માતા અને દીકરાના અંતિમસંસ્કાર કરાયા…

Published on: 5:54 pm, Mon, 1 August 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે. બીમારીના કારણે એક 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. દીકરાના મૃત્યુનો સમાચાર સાંભળીને માતાને આઘાત લાગી ગયો અને આઘાતમાં માતાનું પણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના છત્તીસગઢના બાલોદમાં બની હતી. બાળકને તાવ કહેવાય છે, પરંતુ તેના મોઢામાંથી ફીણ આવવાના કારણે આ કેસ શંકાસ્પદ બની ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસનું કહેવું છે કે, રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે વિગતવાર જાણી શકાશે.

બીજી તરફ આરોગ્ય વિભાગે રવિવારના રોજ બાળકને કમળો છે તેવું તેના પિતાને જણાવ્યું હતું. ત્યાંથી બાળકને રાજનંદનગાવ રેફર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અશોકભાઈ નામના વ્યક્તિનો 14 વર્ષનો દીકરો આર્યન ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. એ છેલ્લા થોડાક દિવસોથી બીમાર હતો.

શુક્રવારના રોજ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આર્યનની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. આર્યનના મૃત્યુના સમાચાર મોડી સાંજે તેની માતા નીરાબાઈને થયા હતા. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યું હતું અને તેના કારણે માતાની તબિયત ખરાબ થવા લાગી હતી.

તેથી નીરાબાઈ ની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ રસ્તામાં તેમનું પણ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આરોગ્ય વિભાગ એ અને ગામના લોકોના જણાવ્યા અનુસાર આર્યનને તાવ હતો.

પરંતુ આર્યન ના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેનું મૃત્યુ શંકાસ્પદ હતું. તેથી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. શનિવારના રોજ માતા અને દીકરાના એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે…, દીકરાના મૃત્યુ ના સમાચાર સાંભળીને આઘાતમાં માતાનું પણ મૃત્યુ – એક સાથે માતા અને દીકરાના અંતિમસંસ્કાર કરાયા…"

Leave a comment

Your email address will not be published.


*