મહામારી ના સમય વચ્ચે ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, બોટાદ ભાવનગર…

Published on: 6:24 pm, Mon, 3 May 21

ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર બોટાદ ભાવનગર ના સંસદ સભ્ય ભારતીબેન શિયાળ ની પસંદગી કરવામાં આવી હતી તે ભાવનગર બોટાદ ના સાંસદ સંક્રમિત થયા છે. જે ભારતીબેન સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંક્રમિત થયા ની જાણકારી આપી છે.

રિપોર્ટ કરાવતા કોવિડ ના લક્ષણો હોવાની માહિતી આપી છે જે તેઓ પોતાના ઘરે હોમ કવોરન્ટાઈન થયા છે જેમને સોશિયલ મીડિયા દ્વારા જે પણ લોકો તેમના સંપર્કમાં આવેલ હોય તે તમામ લોકોને રિપોર્ટ કરાવા વિનંતી કરી છે.

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 ના દર્દીઓનો સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસો નોંધાયા છે અને 3689 લોકોના મોત થયા છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ રેકોર્ડબ્રેક 658 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 14444 થવા પામી છે.

જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 262 પુરુષ અને 174 સ્ત્રી મળી ફૂલ 436 લોકોનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.જયારે શહેર માં 5 ના મોત નિપજયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી ના સમય વચ્ચે ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, બોટાદ ભાવનગર…"

Leave a comment

Your email address will not be published.


*