મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી, માત્ર એટલું કરવાથી માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…

Published on: 6:14 pm, Wed, 15 June 22

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની ધરતી પવિત્ર છે કે જ્યાં ઠેર ઠેર દેવી દેવતાઓનો વાસ છે. લોકો પણ અલગ-અલગ રૂપમાં ભગવાનને પૂજે છે. એવામાં કહીએ તો આ સમગ્ર દુનિયાને એક દેવીય તાકાત ચલાવે છે કે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. દરેક લોકો ભગવાનને અલગ-અલગ રૂપમાં તેમની પૂજા-અર્ચના કરીને તેમના પર શ્રદ્ધા રાખે છે.

એવામાં વાત કરીશું તો માં મોગલ કે જેમના પરચા અપરંપાર છે. માં મોગલના નામ લેવા માત્રથી માય ભક્તોના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. કોઈ પણ ભક્તોને માં મોગલ કોઈ ભકતોને દુઃખી જોઇ શકતાં નથી કહીયે તો માં મોગલની ઘણી શ્રદ્ધા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ માં મોગલનાં ભક્તો જોવા મળે છે કે જેઓ પોતાની માનતા પૂરી થતાની સાથે જ માં મોગલની ધન્યતા અનુભવે છે.

કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે એ તો અઢારે વરણની માતા કહેવાય છે. આપણે સૌએ મંદિરથી પરિચિત છીએ કે જે કબરાઉ માં આવેલું માં મોગલ ધામ કે જ્યાં બિરાજમાન એવા મણીધર બાપુ પણ હાજરાહજૂર છે. અહીં માતાના દર્શનાર્થ દેશ વિદેશથી પણ તેમના ભક્તો તેમની માનતા પૂરી કરવા માટે આવે છે.

સાંભળ્યું છે કે અહીં આ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહીં ફક્ત અન્નનો જ સ્વીકાર કરવામાં આવે છે. આ મંદિર પર જેટલા ભક્તો દર્શનાર્થે આવે છે તે સૌ કોઈને માં મોગલની પ્રસાદી નો લહાવો પણ મળે છે. અહીં માં મોગલના ધામે મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટી પડે છે અને સૌ કોઈ લોકો માના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.

એવામાં આજે આપણે વાત કરીશું તો હાલ આ મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં મોગલની પૂજા કરવામાં આવી રહી છે, ત્યારે અહીં માંના સાનિધ્યમાં મણીધર બાપૂએ લોકોના પથ દર્શક બન્યા છે. જેમણે હાલ આ પ્રસંગને સંબોધીને માની ખુશ કરવાનો ઉપાય જણાવ્યો છે.

કબરાઉધામ બિરાજમાન એવા મણીધર બાપુએ કહ્યું છે કે માં મોગલને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, ત્યારે માં મોગલને રાજી કરવા માટે લોકો ગરીબ ને કપડાં કે ભોજન જમાડવાથી મા પ્રસન્ન થશે એવા ઉપાય સાથે મણીધર બાપુએ વાત કરી છે. મંગળવારના દિવસે ગરીબ બાળકને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે અને માં મોગલ રાજી થઈને દરેક ભક્તો પર પ્રસન્ન થઈને તેમને રાજીરાજી કરી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી, માત્ર એટલું કરવાથી માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*