ચીફ સેક્રેટરીને મમતા બેનરજીએ દિલ્હી મોકલવાની પાડી ના, જાણો સમગ્ર મામલો.

Published on: 3:30 pm, Mon, 31 May 21

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમાપ્ત થઇ ગઇ પરંતુ રાજકારણનું તોફાન હજુ ચાલુ જ છે. આ તોફાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલુ છે. આ સમગ્ર મામલો એમ છે કે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અલપન બંધોપધયાય બદલી કરી હોવાની રજુઆત કરી.

આ બાબત પર પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે વાંધો ઉઠાવ્યો મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે ચીફ સેક્રેટરીની ટ્રાન્સફર ખોટી રીતે થાય છે અને આ કાયદાનો વિરોધ તમે ચીફ સિક્યુરિટી નું ટ્રાન્સફર કરી રહ્યા છો.

મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોઈપણ સંજોગોમાં ચીફ સેક્રેટરી ટ્રાન્સફર નહીં થવા દે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ મહિના પહેલા ચીફ સેક્રેટરીનો કાર્યકાળ ત્રણ મહિના સુધી વધારી દીધો હતો પરંતુ અચાનક જ આમ કેવી રીતે બદલી કરી શકો.

આ ઉપરાંત મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીને વધુ એક પત્ર લખ્યો અને કહ્યું કે PM અને CM બેઠકમાં કોઈ ધારાસભ્યને વહુ એ યોગ્ય નથી. કારણકે મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેના કારણે મમતા બેનરજીએ પીએમ મોદીને આવું કહ્યું.

પશ્ચિમ બંગાળ ચીફ સેક્રેટરી નું ટ્રાન્સફર દિલ્હી કરવામાં આવ્યું હતું અને તેમને સોમવારના રોજ સવારે 10 વાગ્યે દિલ્હી બોલાવ્યા હતા. પરંતુ તેઓ દિલ્હી પહોંચ્યા નહીં કારણ કે તેઓ બંગાળમાં પોતાના કામમાં વ્યસ્ત હતા અને દિલ્હી પહોંચી શક્યા નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચીફ સેક્રેટરીને મમતા બેનરજીએ દિલ્હી મોકલવાની પાડી ના, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*