પાવાગઢ મહાકાળીના મંદિરે જતા મહંતને સ્વીફ્ટ કારે અડફેટેમાં લીધા, મહંતનું ઘટના સ્થળે જ દુઃખદ નિધન… ભક્તોમાં માતમ છવાઈ ગયો…

Published on: 2:37 pm, Sat, 17 December 22

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે પાવાગઢ નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કારની ઝપેટમાં આવતા એક મહંતનું દુઃખદ નિધન થયું છે. મળતી માહિતી અનુસાર ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને સ્વીફ્ટ કાર જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે મહંતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગોધરાના ગરદન રોડ ઉપર બાવાની મઢીના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના 71 વર્ષના મહંત રાઘવજીદાસજી મહારાજ મંદિર ખાતે આગામી 25 ડિસેમ્બરના રોજ ગોધરા મંદિર ખાતે રાખવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા.

તેઓ પોતાની એક ભક્તની ગાડીમાં હાલોલના કંજરી રામજી મંદિરના મહંતને પત્રિકા આપીને પ્રસાદી લઈને પાવાગઢ નીકળ્યા હતા. ત્યારે પાવાગઢના ગેટ નજીક પાતળા તળાવ સામે આવેલા હનુમાનજીના મંદિરે ખાતે પહોંચ્યા હતા. ત્યારે મહંતે તેમના ભક્તને કહ્યું હતું કે હવે તે આગળનો પ્રવાસ બસમાં કરી લેશે.

ત્યારબાદ ભક્ત મહંતને ત્યાં જ મૂકીને રવાના થયા હતા. ત્યાં આશ્રમમાં આમંત્રણ આપીને મહંત પાવાગઢ મહાકાળી મંદિર જવા માટે રોડ ઉપર આવી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહંતનું ઘટના સ્થળે જ નિધન થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. મહંતના મૃત્યુના સમાચાર મળતા જ તેમના ભક્તોમાં અને અન્ય શબ્દોમાં માતમ છવાઈ ગયો હતો. મહાકાળી ના મંદિરે પહોંચે તે પહેલા તો મહંતનું દર્દનાથ મોત થયું હતું. સ્વીફ્ટ કાર મહારાષ્ટ્રનું પાર્સિંગ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાવાગઢ મહાકાળીના મંદિરે જતા મહંતને સ્વીફ્ટ કારે અડફેટેમાં લીધા, મહંતનું ઘટના સ્થળે જ દુઃખદ નિધન… ભક્તોમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*