‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

Published on: 9:47 am, Mon, 29 August 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સુરતના વેપારીઓને સંબોધતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં હું અરવિંદ કેજરીવાલના એક પ્રતિનિધિ તરીકે આપની સમક્ષ ઉપસ્થિત રહ્યો છું. ગુજરાત રાજ્ય વર્ષોથી વેપાર ધંધો કરવા માટે જાણીતું રાજ્ય છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે આજે ભલે ભાજપના નેતા એમ કહેતા કે, ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતના વેપારીની પ્રગતિ થઈ છે પણ હકીકત તો એ છે કે આ દેશમાં લોકશાહીનું સ્થાપના થઈ એ પહેલાથી જ ગુજરાત અને એમાંય ખાસ સુરતના વેપારીઓ ધંધા માટે જાણીતા છે.

પરંતુ આજે એવી પરિસ્થિતિઓ ઉભી થાય છે કે, વેપાર કરવો કે સરકારી ઓફિસના ધક્કા ખાવા કે સરકારી અધિકારીઓ સામે હાથ જોડવો કે પોલીસ સ્ટેશન એ જવું શું કરવું એ સમજાતું નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વેપારીઓની આવી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પહેલા તેમની સમસ્યા જાણવી જરૂરી છે અને એના માટે આમ આદમી પાર્ટી એ આ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ગોપાલ ઇટાલીયા એ વધુમાં વાત કરતા જણાવ્યું કે અરવિંદ કેજરી વાલે બે શહેરોમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો અને બે કાર્યક્રમને વેપારીઓ તરફથી એટલો સારો પ્રતિસાદ મળ્યો કે પ્રદેશ પરથી નક્કી કરવામાં આવ્યું કે, આ માનવી પાટી દરેક જિલ્લાઓમાં વેપારીઓ સાથે સંવાદ કરશે. ગોપાલ ઇટાલીયા વધુમાં વાત કરતા જણાવ્યું કે, આ સવાદ કાર્યક્રમ દ્વારા અમે એ જાણી શકીએ છીએ કે ગુજરાતના કયા શહેરોમાં અને કયા જિલ્લાઓમાં કયા પ્રકારના વેપાર ધંધા થઈ રહ્યા છે અને તેમને શું મુશ્કેલી પડી રહી છે અને તેનું કેવું સર્ક્યુલેશન નીકળે છે, આ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે આ વેપારીઓ સંવાદ કાર્યક્રમનો વેપારીઓની વેદના સાંભળવા માટે કરાયેલું પણ કોઈ મંત્રી ધારાસભ્ય કે સાંસદે કોઈ પણ પ્રકારનો સમય ફાળવ્યો નથી. ભાજપના કાર્યક્રમમાં પણ ક્યારેય કોઈને બોલવા દેવામાં આવતું નથી. પરંતુ અરવિંદ કેજરીવાલજી માને છે કે જનતા અને વેપારીઓને વાત કરવાનો હક છે અને મંચ પર બેઠેલા લોકોને જનતા અને વેપારીઓની વાત જરૂર જ સાંભળવી જોઈએ. એટલા માટે જ અમે આ વેપારીઓ સાથેના જનસવાદ કાર્યક્રમથી એક નવી શરૂઆત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*