રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર વકીલે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:42 am, Mon, 25 April 22

ગુજરાત રાજ્યમાં આજકાલ જીવ ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી રાજકોટ શહેરમાં જીવ લેવાની અને જીવ ટૂંકવવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં રાજકોટમાં બનેલી તેવી જે ઘટના સામે આવી છે. રાજકોટમાં એક વકીલે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર રૈયા ચોકડી પાસે શિવમપાર્ક બેમાં રહેતા એડવોકેટ પલકભાઈ અનિલભાઈ ભટ્ટ નામના યુવકે શનિવારના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે પલકભાઈની પત્ની રાત્રે ઘરે આવી ત્યારે પતિનો મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.

ત્યારબાદ વલ્લભભાઈને નીચે ઉતારીને તાત્કાલીક ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈ જવામાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પલકભાઈને મૃત જાહેર કર્યા હતા. પલકભાઈનું મૃત્યુ તથા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર પલકભાઈની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પલકભાઈ પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તેઓ પોતાના માતા-પિતાના એકના એક દીકરા હતા. પલકભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઘરકંકાસથી કંટાળીને પલકભાઈએ આ પગલું ભર્યું હશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પલકભાઈ એક વકીલ હતા. પલકભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું હજુ કોઈ પણ સાચું કારણ જાણી શકાયું નથી.

પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઘરકંકાસથી કંટાળીને પલકભાઈ આ પગલું ભર્યું હશે. પલકભાઈના મૃત્યુના કારણે તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર વકીલે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*