જાણો આ વર્ષે કેટલો પડશે વરસાદ, ખેડૂતો માટે કેવું રહેશે ચોમાસુ ?

Published on: 10:18 am, Wed, 2 June 21

કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે આવ્યા અગત્યના સમાચાર. આ વર્ષે ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે દેશમાં ચોમાસુ સારું રહે તેવું અનુમાન છે. આ વર્ષે ચોમાસાનું આગમન ૩ જૂનના રોજ કેરળમાં થશે.

તાવતે અને યાસ વાવાઝોડાના કારણે આ વખતે ચોમાસામાં આવવામાં બે દિવસ વધુ સમય લાગે તેવી સંભાવના છે. દેશમાં સતત ત્રણ વર્ષથી સામાન્યથી વધુ વરસાદ વરસે તેવી સમસ્યા પણ કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં ચોમાસુ ખૂબ જ સારું રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. વાવાઝોડાના કારણે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે તો ખેડૂતો માટે ખૂબ જ સારું છે. આગાહી મુજબ દેશમાં 101% વરસાદ પડે તેવી સંભાવના છે. અને ગુજરાતમાં 106 ટકા વરસાદની સંભાવના છે.

દેશમાં કુલ 101 ટકા વરસાદ પડવાની સંભાવના છે. તે માટે 40% સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત 22% સામાન્ય કરતા અધિક વરસાદ પડવાની સંભાવના છે. અને 12 ટકા ખૂબ જ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. 18% સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે.

દેશમાં મધ્ય ભારતમાં 106 ટકા થી વધારે વરસાદ ની સંભાવના. દક્ષિણ ભારતમાં 93 થી 100 ટકા સુધી વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં 95 ટકાથી પણ ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 98 થી 108 ટકા વરસાદ પડે તેવી સંભાવના છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જાણો આ વર્ષે કેટલો પડશે વરસાદ, ખેડૂતો માટે કેવું રહેશે ચોમાસુ ?"

Leave a comment

Your email address will not be published.


*