જાણો કેવી રીતે મોરારીબાપુ શિક્ષકમાંથી બન્યા કથાકાર ! ચાલો જાણીએ મોરારીબાપુ કયા ગામના છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે…

Published on: 6:25 pm, Mon, 19 September 22

આપણે સૌ પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ ને જાણીએ જ છીએ કે જેઓ વર્ષોથી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે.સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ તેમનું અનોખું સ્થાન રહ્યું છે આજે તેમના જીવન સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો વિશે વાત કરીશું તો મોરારીબાપુ નું કહેવું છે કે ભજન કરો અને ભોજન કરાવો. આજે પણ તેઓ ચિત્રકૂટધામ તલગાજરડા બાપુને મળવા આવનારા તમામ મુલાકાત તેઓ અને અતિથિ અને બાપુ વિનંતી કરતા હોય છે કે શક્ય હોય તો પ્રસાદ લઈને જજો.

મોરારીબાપુ વર્ષોથી રામકથાનું રસપાન કરાવતા આવ્યા છે. વાત કરીશું તો વર્ષ 1986 થી શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ પણ છપાયો હતો. ત્યારથી સૌ કોઈ લોકો વિના સન્માન સાથે સવાર સાંજ તલગાજરડા ના કૈલાશ પ્રભુ પ્રસાદ રૂમમાં પ્રસાદ મેળવતા અને હજુ પણ આ સેવા અવિરત પણે ચાલુ જ હશે.એવામાં મોરારીબાપુ આ સ્થાન પર કઈ રીતે પહોંચ્યા તેની વાત કરું તો ગુજરાતમાં ભાગ્યો જ કોઈ કથા કાર્ય દેશ વિદેશમાં મોરારીબાપુ જેટલી નામના મેળવી હશે.

મોરારીબાપુ કે જેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946 ના રોજ સૌરાષ્ટ્રના મહુવા નજીક આવેલા તલગાજરડા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિરબાગ પરિવારમાં થયો હતો. તેમને તેમના પિતા પ્રભુદાસ હરીયાણી કરતા દાદાજી ત્રિભુવનદાસ ને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો.તેથી પાંચમી રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતા હતા અને રોજની પાંચ ચોપાઈ પ્રતિબિંબ યાદ કરતા એવામાં જ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ અને દાદાજીનેજ બાપુએ પોતાના ગુરુ માની લીધા.

મોરારીબાપુ એ વિદ્યાર્થી જીવનમાં તેમને મન અભ્યાસમાં ઓછું અને રામકથામાં વધારે હતું. વાત કરીએ તો મોરારીબાપુ એ જે પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષણ લીધું ત્યાં જ તેઓ શિક્ષક બન્યા હતા અને રામાયણ પાઠમાં એટલા ડૂબી ચૂક્યા હતા કે સમય કાઢવો પણ કઠિન હતો. તેથી તેમણે અધ્યાપન કાર્ય છોડ્યું અને રામકથાનું રસપાન કરવાનું ચાલુ કર્યું.

મોરારીબાપુ ના લગ્નજીવન ની વાત કરીએ તો તેમના લગ્ન નર્મદા દેવી જોડે થયા છે, તેમને ત્રણ પુત્રી અને પુત્ર છે. પહેલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકારી લેતા હતા પરંતુ ધન ઘણો વધુ આવવા માંડ્યો અને તેમણે 1977 થી કોઈ દાનનો સ્વીકાર કરવાનો ત્રણ લીધું. ત્યારથી જ મોરારીબાપુ ને કાળી શાલ વિશે માન્યતા રાખે છે કારણ કે હનુમાનજી અથવા કોઈ સંધ્યા આપી છે, પણ બાપુ કહે છે કે તેમને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ હતો તેથી તેઓ હંમેશા શાલ ને ખભા પર જ રાખે છે.

મોરારીબાપુએ ઘણા સ્થળો પર રામકથાનું રસપાન કરાવ્યું છે, ત્યારે વારાણસી, અલ્હાબાદ અને હરિદ્વાર જેવા હિન્દુઓના ધાર્મિક સ્થળોમાં કથા કરી છે.કચ્છમાં હાજીપીર ની દરગાહ પાસે પણ રામકથા યોજવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ માટે પણ મહત્વપૂર્ણ શહેર રોમ ઉપરાંત ખ્રિસ્તી યહૂદી અને મુસ્લિમો માટે પવિત્ર ધાર્મિક માં પણ રામકથા યોજી છે. મોરારીબાપુ રામકથા એટલે લોકપ્રિય બની કે તેમણે વિદેશોમાં પણ તેમની કથા યોજી અને હાલ તો તેમણે અત્યાર સુધી 823 થી વધારે કથાનું કઠણ કરી ચૂક્યા છે.

મોરારીબાપુ કથા ઉપરાંત ના સમયમાં તલગાજરડામાં રહેતા મોરારીબાપુ ચિત્રકૂટ ધામના પોતાની કુટીરમાં બેસીને લોકો સાથે મુલાકાત કરે છે.તેમણે શ્લોક ને લોક સુધી પહોંચાડવામાં માનતા હોવાથી તેમણે 1981માં પોતાના ગામ તાલુકાથી પાંચ કિલોમીટર દૂર મહુવા પાસે વિશાળ વિસ્તારમાં કૈલાસ ગુરુકુળની પણ સ્થાપના કરી અને હાલ તો આ ગુરુકુળ શુભ કાર્ય માટેનું પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જાણો કેવી રીતે મોરારીબાપુ શિક્ષકમાંથી બન્યા કથાકાર ! ચાલો જાણીએ મોરારીબાપુ કયા ગામના છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે…"

Leave a comment

Your email address will not be published.


*