“કિર્તીદાન ગઢવી”એ વૃંદાવનની પાવન ધરતીમાં ભજન સંધ્યાની રમઝટ જમાવી, જુઓ તસવીરો

ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવી આજના સમયમાં દેશ વિદેશમાં લોક ડાયરાની ધૂમ મચાવતા જોવા મળે છે. જેની અનેક તસવીરો અને વિડિયો તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા હોય છે. થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવી વૃંદાવનમાં બિરાજમાન પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ બાદ તેને પ્રેમાનંદજી મહારાજની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સુંદર ભજન ગાય દરેક લોકોના દિલ જીતી લીધા હતા આ ગીત સાંભળી પ્રેમાનંદજી મહારાજ પણ ખૂબ જ ખુશ થયા હતા તથા કિર્તીદાન ગઢવી ને આશીર્વાદ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી તથા તેઓ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ સફળ થઈ સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે તેવી રાધારાણીજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.