કિંજલદવેના પિતા લલિત દવે કમાને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મનમાં ખોટા વહેમ લઈને ન ફરવું કે…

Published on: 3:46 pm, Wed, 21 September 22

હાલમાં ગુજરાતમાં ચારે બાજુ એક જ નામ ગુંજી રહ્યું છે જે છે કમો. ગુજરાતમાં મોટેભાગના ડાયરામાં હવે કમાભાઈની હાજરી ફરજિયાત બની ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં કમાની રોયલ એન્ટ્રીના ઘણા બધા વિડીયો જોયા હશે. થોડાક ટાઈમ પહેલા જ્યારે કમાભાઈ સુરતમાં આવ્યા હતા.

ત્યારે કમાભાઈને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મિત્રો તમને બધાને ખબર છે કે, છેલ્લા થોડા દિવસોથી કમાને લઈને ઘણા બધા વિવાદો જ સર્જાઇ રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે કમા સાથે હાલમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ડાયરામાં કમાને ધુણાવામાં આવે છે આ બાબત પર પણ ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો.

ત્યારે હાલમાં કિંજલ દવેના પિતા લલીતભાઈ દવેનું એક નિવેદન હાલમાં સોશિયલ વડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લલીતભાઈ દવે એક facebook પોસ્ટ પર લખ્યું હતું કે, “કમાભાઈને લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે અને એ જોતા સમજાય છે કે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્યને ભગવાન આવું બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે.

બાકી આ અશક્ય છે કેમ કે કમાભાઈ પોતે જ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ જવાબ દેતું ન હતું. આજે એ જ સ્ટેજ પર મોટા ધુરંદર કલાકારો થી પણ વધારે માન કમાભાઈ ને મળી રહ્યું છે. એ જોઈને હું એક વાત કહીશ કે, પોતાની જાતને મહાન સમજતા હોય કે મનમાં કોઈ ખોટા વહેમ લઈને ફરતા હોય કે હું કોઈની ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધો તો આવા વહેમ મગજમાંથી કાઢી નાખજો.

પ્રભુ ની ઈચ્છા વિના અહીં કોઈનાથી એક શ્વાસ ન લેવાય. આ બધા પોતાના કર્મ, શ્રદ્ધા, વિશ્વાસ, પુણ્ય અને પ્રભુ ગુફાથી ચાલે છે. પ્રભુ ત્યારે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે દાખલો સામે જ છે. ખોટા વહેમ લઈને ન ફરવું. લલિત દવે-હરી હરીની મરજી મહાદેવ હર

કિંજલદવેના પિતાના લલિત દવેના આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લોકો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે કમાભાઈ પૂર્વ જન્મમાં સારા કામ કર્યા હશે તેથી તેમને આ જન્મમાં તેનું ફળ મળ્યું. કમાને લઈને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કિંજલદવેના પિતા લલિત દવે કમાને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મનમાં ખોટા વહેમ લઈને ન ફરવું કે…"

Leave a comment

Your email address will not be published.


*