વાયરસ ને કાબુમા લાવવા ભાજપ ના નેતાને કાબુમાં રાખો, સી.આર.પાટિલ ભૂલ્યા ભાન, જાણો શું કહ્યુ.

Published on: 6:42 pm, Sun, 2 May 21

ગુજરાત માં સતત કેસો વધી રહ્યા છે.ત્યારે હવે લાગી રહ્યું છે કે ગુજરાત માં જો વાયરસ ના કેસને કાબુમાં લાવવો હોય તો પહેલા ભાજપ નેતાઓને કાબુમાં લાવવા પડશે.વાયરસ માં સતત કેસ વધી રહા છે અને સરકાર દ્વારા લોકોને સતત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં સંક્રમણ માં રાફડો ફાટયો છે અને જનતામા ચૂંટણીઓ સામે રોષ છે.પ્રજાનો એક ભાવ છે કે ચૂંટણીઓ ભીડ ભેગી કર્યા બાદ જ આ સંક્રમણ ફેલાયું છે ત્યારે ભાજપના નેતાઓ શરમ નેવે મૂકીને હજુ પણ ભીડ ભેગી કરી રહ્યા છે.

દેશના પ્રધાનમંત્રી હોય કે પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધા જ નેતાઓ અત્યારે જનતાને કહી રહા છે માસ્ક પહેરીને રહો અને સામાજિક અંતર નું પાલન કરો પરંતુ કદાચ તેમના નેતાઓને જ નથી સમજાઈ રહી.

એક તરફ જ્યા જનતા પરેશાન થઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપ ના પ્રદેશ પ્રમુખ હજુ પણ કોરોના ની ગાઈડ લાઈન નો ભંગ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાયરસ ની કથળેલી પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ચૂકી છે.દેશના કોવીડ 19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે.રવિવારે દેશમાં 3,92,488 નવા કેસો નોંધાયા છે.

અને આ સાથે દેશમાં કોરોના ફૂલ કેસ વધીને 1,95,57,457 થયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 3689 લોકોના મોત નિપજયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાયરસ ને કાબુમા લાવવા ભાજપ ના નેતાને કાબુમાં રાખો, સી.આર.પાટિલ ભૂલ્યા ભાન, જાણો શું કહ્યુ."

Leave a comment

Your email address will not be published.


*