કરજણ પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને બોલેરો ચાલકે લગાવી જોરદાર ટક્કર, સાધ્વીજીનું કરુણ મોત…સમગ્ર જૈન સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:39 am, Thu, 24 November 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા નજીક કરજણ-પાલેજ રોડ પર દેથાણ પાસે વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બેકાબૂ બોલેરો કાર ચાલકે એક જૈન સાધ્વીજીને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર તેમનું કરુણ મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતાં આજે જૈન સમાજમાં ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને કરજણ પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો કરજણ નવી બજારમાં આવેલી 15 મધુવન સોસાયટીમાં રહેતા મયુરભાઈ કિરીટભાઈ શાહ મિયાંગામ કરજણમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી જૈન સાધ્વીજીના વિહારનું સેવાનું કામ કરી રહ્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈને તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ મયુરભાઈ શાહ, પંકિતભાઈ શાહ, કમલેશ કુમાર શાહ અને હર્ષિલ કુમાર શાહ ઉદય રતન સુર મહારાજ સાહેબ થાણા-5, તથા સાધ્વીજીનું પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ પગપાળા કરજણ આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં ભરૂચ તરફથી પોરબાળ ઝડપે આવતા બોલેરો ચાલકે 25 વર્ષેના સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબને જોરદાર એ ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કરજણ પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને બોલેરો ચાલકે લગાવી જોરદાર ટક્કર, સાધ્વીજીનું કરુણ મોત…સમગ્ર જૈન સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*