પાલીતાણાથી દર્શન કરીને અમદાવાદ જઈ રહેલા જૈન પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મૃત્યુ…હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી !

Published on: 10:19 am, Mon, 17 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગઈકાલે રાત્રે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાળકો સહિત 5 લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પરિવાર અમદાવાદના વિરાટનગરનો રહેવાસી હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવે રોડ ઉપર મૃત્યુની ચિચીયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા 108 ની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પાલીતાણાના મહાતીર્થ દર્શન કરીને પરિવાર અમદાવાદ જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે જેમની ઉંમર 10 થી 12 વર્ષની હતી. એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો માતમ છવાઈ ગયો છે. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા છે. પરિવાર પાલીતાણા થી દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાલીતાણાથી દર્શન કરીને અમદાવાદ જઈ રહેલા જૈન પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મૃત્યુ…હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી !"

Leave a comment

Your email address will not be published.


*