“જય માં મોગલ” આ વ્યક્તિની માનતા પૂરી થતા 11 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મોગલધામમાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:04 pm, Mon, 1 August 22

કહેવાય છે ને માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્ર થી જ ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે, કે માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ને માનતા હોય છે.

અને ક્યારેક ભક્તો પણ પોતાના જીવનમાં જ્યારે દુઃખ આવે છે. ત્યારે મા મોગલ ને અચૂક યાદ કરે છે. ઘણીવાર સાંભળ્યું છે કે, માં મોગલ એ લાખોમાં ભક્તો ને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેનાથી સૌ કોઈ કહીશું કે મોગલ આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધી જ સમસ્યાઓ પણ દૂર કરે છે. ત્યારે વાત જાણે એમ છે કે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચ્યો છે. અમદાવાદ થી એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે એ યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા. યુવકે માં મોગલના ચરણે 11000 રૂપિયા ચડાવવાની માનતા માની હતી. કે જે પૂરી થતાની સાથે જ મા મોગલના ચરણે 11000 રૂપિયા અર્પણ કરવા આવ્યો હતો.

ત્યારે મણીધર બાપુએ 11000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે મા મોગલ એ તારી 11 ગણી માનતા સ્વીકારી છે. આ પૈસા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે, અને આ કોઈ ચમત્કાર ન માનતામાં, માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

આ દુનિયાનો અંત આવે છે, ત્યાંથી મા મોગલ ની શરૂઆત થાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી. એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. માં મોગલ ક્યારેય પોતાના ભક્તને દુઃખી જોઈ શકતા નથી. અને ભક્તો પણ માં મોગલ પર શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતાઓ માનતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“જય માં મોગલ” આ વ્યક્તિની માનતા પૂરી થતા 11 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મોગલધામમાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*