જય માં મોગલ : એક માતા-પિતા પોતાની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના ચરણમાં આવે છે, ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતા કહે છે કે…

Published on: 5:17 pm, Fri, 8 April 22

માં મોગલ વિશે આપ સૌ જાણતા જ હશો.જેઓ ભક્તો ને કેટલીય વાર પરચો બતાવતા રહે છે. જ્યારે લોકો ની સમસ્યાઓ માં મોગલ ના દર્શન માત્રથી દૂર થાય છે. ત્યારે કહી શકાય કે માં મોગલ અપરંપાર છે. તેમના દર્શન માત્રથી જ લોકો ના દૂર થાય છે.

અને સમસ્યાઓ પણ દૂર થાય છે ત્યારે દર્શન કરી હસતા મોઢે ઘરે પરત ફરતા હશે. માં મોગલ ના મંદિરો અનેક જગ્યાએ આવેલા છે,અને જ્યાં સાક્ષાત બિરાજમાન છે. માં મોગલ ના દર્શનાર્થે આવતા તમામ ભક્તોના જીવનમાં માં મોગલ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર કરી દે છે.

માં મોગલ માત્ર ભક્તોના માત્ર ભાવના ભૂખ્યા છે, તેઓને સોના, ચાંદી કે અન્ય કોઈ દાનની જરૂર નથી. પરંતુ જો કોઈ ભક્ત શ્રદ્ધાથી માં મોગલ ના દર્શન કરે તો તેને અચૂક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આજે આપણે કબરાવ માં આવેલા માં મોગલ ધામ વિશે વાત કરીશું કે જ્યાં માં મોગલ હાજરા હજુર છે.

ત્યારે આ મંદિરમાં એક મણીધર બાપુ નામના બાપુ પણ રહે છે ,જેઓ ત્યાં બિરાજમાન છે. અને જે કોઈ માં મોગલ ના દર્શનાર્થે આવે છે,તેમની તમામ માનતાઓ પૂર્ણ થાય છે.ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં એક દંપતી અને તેમની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલ ના દર્શનાર્થે આવ્યા હતા.

ત્યારે આ મંદિરમાં બિરાજમાન એવા મણીધર બાપુએ દિવ્યાંગ દીકરીને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે ક્યાંય યાત્રા કરવા માટે જવાની જરૂર નથી. તમે માત્ર તમારી દિવ્યાંગ દીકરી ની સેવા કરજો એટલે તમારા બધા જ ધાર્યા કામ પૂર્ણ થશે.

આ માનીને તેના મા-બાપ આ વાતથી સંમત થયા અને મણીધર બાપુના આશીર્વાદ જોઈને હસતા મોઢે ઘરે પરત ફર્યા હતા. ત્યારે કહેવાય છે “જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે” જે હકીકત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય માં મોગલ : એક માતા-પિતા પોતાની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના ચરણમાં આવે છે, ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતા કહે છે કે…"

Leave a comment

Your email address will not be published.


*