જય માં મોગલ : મણીધર બાપુએ કહ્યું કે માં મોગલની આવી રીતે પૂજા-અર્ચના કરવાથી, માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…

Published on: 5:39 pm, Sat, 30 April 22

આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલનો મહિમા અપરંપાર છે.માં મોગલ નું નામ લેવા માત્રથી ભક્તોની સમસ્યા દૂર થાય છે. અને દુઃખ દૂર થાય છે. જો માં મોગલ ને આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે અચૂક ભક્તોની માન્યતાઓ પૂર્ણ કરે છે. તો શું તમે જાણો છો કે માં મોગલ ની સાચી પૂજા કઈ રીતે થાય?

માં મોગલને ખુશ કરવા અને આશીર્વાદ તમારી સાથે સદાય રહે એ માટે માં મોગલનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનું દીવો કરો. એમાં જ માં મોગલ ખુશ છે. અને કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામના મંદિરે બિરાજમાન એવા મણીધર બાપુએ પણ કહ્યું હતું કે તમારી કુળદેવીને માન અને પછી માં મોગલ ને માનો એ તમારા બધા જ કામ પાર પાડી દેશે.

માં મોગલને યાદ કરવા માત્ર થી એ રાજી રાજી છે, ત્યારે માં મોગલને ગૂગળનો ધૂપ સૌથી પ્રિય હોવાથી ગૂગળનો ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે એ તો અઢારે વરણની માં છે. જ્યારે માં મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે. અને પોતાના દુઃખ દૂર કરે છે.

ત્યારે જણાવીશ તો માં મોગલ પહેલા તમારી કુળદેવીને યાદ કરો પછી માં મોગલને. એ તો અઢારે વર્ણના લોકોને સરખા જ રાખે છે અને તેમની ખાલી આસ્થા રાખો તો પણ એ તમારા પર પ્રસન્ન થઈ જશે.કહેવાય છે કે મા મોગલ નો દીવો ના કરતા માત્ર તેમની આસ્થા રાખવામાં આવે અને તેમને ગૂગળનો ધૂપ વહાલો હોવાથી એ ગુગળ ધૂપ આપવામાં આવે તો તેમની કૃપા હંમેશા તમારી સાથે બની રહેશે.

એટલું જ નહીં પરંતુ ઘરમાં પણ ગૂગળનો ધૂપ કરવાથી વાતાવરણ ખુબ જ સારું બની જાય છે. અને તેમની કૃપા હંમેશા વરસતી રહેશે. અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધુપ કરવો જોઈએ અને હા માં મોગલ ને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માન્યતાઓ પણ પૂર્ણ કરે છે.

કહેવાય છે કે માં મોગલને કોઈ સોનુ ચાંદી કે દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેમને આસ્થાથી માનવામાં આવે તો પણ પ્રસન્ન થઈ જાય છે, ત્યારે માત્ર એટલું જ કહીશ કે દુનિયાનો આવે છે. ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય માં મોગલ : મણીધર બાપુએ કહ્યું કે માં મોગલની આવી રીતે પૂજા-અર્ચના કરવાથી, માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*