જય માં મોગલ : મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને ખુશ કરવા માટે બસ આટલું નાનકડું એવું કાર્ય કરો….

Published on: 5:19 pm, Thu, 7 April 22

માં મોગલ વિશે આપ સૌ જાણતા જ હશો.જેઓ ભક્તો ને કેટલીય વાર પરચો બતાવતા રહે છે. જ્યારે લોકો ની સમસ્યાઓ માં મોગલ ના દર્શન માત્રથી દૂર થાય છે. ત્યારે કહી શકાય કે માં મોગલ અપરંપાર છે. તેમના દર્શન માત્રથી જ લોકો ના દૂર થાય છે. અને સમસ્યાઓ પણ દૂર થાય છે ત્યારે દર્શન કરી હસતા મોઢે ઘરે પરત ફરતા હશે.

માં મોગલ ના મંદિરો અનેક જગ્યાએ આવેલા છે. અને જ્યાં સાક્ષાત બિરાજમાન છે. આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું કે જ્યાં માં મોગલ ના પરચા અપરંપાર છે, અને સાક્ષાત બિરાજમાન છે. આ મંદિર કબરાઉ ધામ માં આવેલું છે જ્યાં મણીધર બાપુ પણ બિરાજમાન છે. આ મંદિરમાં આવતા દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે.

અને કહેવાય છે કે આ મંદિરમાં ક્યારેય પણ અનાજ ખૂટતું નથી અને લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે, હાલ તો આ મોગલધામએ 108 યજ્ઞ કુંડ ઓનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં મોગલ ની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે મણીધર બાપુએ આ મંદિર વિશે વાત કરતાં કહ્યું હતું કે “જ્યારે આ દુનિયાનો અંત થાય છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે”.

લોકો મંગળવારના દિવસે માં મોગલ ને ઉપવાસ પર રહેતા હશે અને ખૂબ જ શ્રદ્ધાથી તેઓ માં મોગલ ને માનતા હોય છે,ત્યારે એવું કહી શકાય કે માં મોગલ ના નામની કોઈ દિવસ બાધા ન રાખો કે ઉપવાસ પણ ન કરો. માં મોગલ માત્ર ભાવના ભૂખ્યા છે અને મંદિરોમાં દાન ચઢાવવા કરતા કોઈ ગરીબને કપડા કે જમવાનું ભેટ આપો તેનાથી માં મોગલ વધારે ખુશ થશે.

કહેવાય છે, કે ઉપવાસના દિવસે લોકો પણ ફળહાર કરે છે. તો એ ફળ હારને કોઇ ગરીબ ઘરમાં આપવાથી કદાચ તેનો હાંશકરો આપણને મળશે અને એક પુણ્યનું કામ કરી શકાય. જ્યારે તમે ભુખ્યાને ભોજન આપો અને ગરીબ ઘરની દીકરી અને કપડાનો વિતરણ કરો તો તેનાથી માં મોગલ ખૂબ જ ખુશ થશે અને તમને દિલથી આશીર્વાદ આપશે.

કબરાઉ ગામમાં માં મોગલ બિરાજમાન છે. ત્યારે અહીં એક પણ રૂપિયાનું દાન કરવામાં આવતું નથી અને ફક્ત અન્નનો સ્વીકારવામાં આવે છે. ત્યારે એવું પણ જાણવા મળ્યું છે, કે અહીં લોકો દૂર-દૂરથી દર્શન માટે આવતા હોય છે અને તેમની માન્યતાઓ પુરી થતા ઉમટભેર સાથે માં મોગલ ને ચરણે પડતાં હોય છે. આજ સુધી આ મંદિરમાં અન્ન ખૂટતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય માં મોગલ : મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને ખુશ કરવા માટે બસ આટલું નાનકડું એવું કાર્ય કરો…."

Leave a comment

Your email address will not be published.


*