માતાએ જ પોતાના દીકરાનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 11:03 am, Mon, 5 December 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના જ સગા દીકરાનો જીવ લઈને તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મૃત્યુ પામેલા દીકરાની ઉંમર 15 વર્ષની હતી અને તેનું નામ મારુતિનંદન કુમાર હતું. તે એક ખાનગી શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયા બાદ ખબર પડી કે માતાએ બે મહિના પહેલા પોતાની 17 વર્ષની દીકરી પુનિતા કુમારીનો પણ જીવ લઈ લીધો હતો. આ ચોકાવનારી ઘટના ઔરંગાબાદમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એક માતાએ પોતાના 15 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને ઘરના આંગણામાં દાટી દીધું હતું.

સૌપ્રથમ મહિલાએ પોતાના દીકરાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. ત્યારબાદ કેટલાક મજૂરો બોલાવ્યા અને શૌચાલયની ટાંકીના નામે 4 ફૂટ ઊંડો ખાડો ખોદવડાવ્યો. ખાડો ખોદીયા બાદ મહિલાએ મજૂરોને પાણી લેવાના બહાને બહાર મોકલ્યા અને ત્યાર પછી પોતાના દીકરાના મૃતદેહને તે ખાડાની અંદર નાખીને તે ખાડો ભરી દીધો હતો. ત્યાર પછી મહિલાએ શ્રમિકોને ઘરે પરત મોકલી દીધા હતા.

સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે આરોપી માતાને કસ્ટડીમાં લીધી હતી અને તેની પૂછપરછ કરી હતી. ગામના લોકોનું કહેવું છે કે મૃત્યુ પામેલો દીકરો થોડાક દિવસોથી ગુમ હતો. તેના પરથી એવી આશંકાઓ છે કે લગભગ એક અઠવાડિયા પહેલા માતાએ પોતાના દીકરાનો જીવ લીધો હશે. ત્યારબાદ ખાડો ગોતવા માટે આરોપી માતા મજૂરો શોધી રહી હતી પરંતુ તેને કોઈ મજૂર મળ્યા નહીં.

ત્યારબાદ ગામના એક મજૂર સુરેશ રામને મહિલાએ શૌચાલયની ટાંકી માટે ખાધો ખોદવાનું કહ્યું હતું. તે ખાડો ખોદવા માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ સુરેશ ખાડો ખોદવા માટે મહિલાના ઘરે ગયો ત્યારે તેને ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જ્યારે સુરેશે આ વાતને લઈને મહિલાને વાત કરી ત્યારે મહિલાએ જણાવ્યું કે ઉંદર કા તો સાપ મૃત્યુ પામ્યો છે. લગભગ ચાર ફૂટ ઊંડો ખાડો ખોદાયો ત્યારે આરોપી માતાએ શ્રમિકને પાણી લાવવા માટે બહાર મોકલ્યો હતો.

સુરેશ પાણી લઈને ઘરે પાછો આવે ત્યાં સુધીમાં તો મહિલાએ દેખાડો પૂરી લીધો હતો. ત્યાર પછી મહિલાએ સુરેશ ને કહ્યું કે પંડિતજીએ ખાડો ખોદવાની ના પાડી છે અત્યારે ખાડો નથી ખોદવાનો. ત્યારબાદ સુરેશ આ વાતની જાણ ગામના લોકોને કરી હતી અને ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. શંકાના આધારે પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી હતી અને તેને પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

આરોપી મહિલાએ જણાવ્યું કે તેને પોતાના દીકરાનો જીવ લેવાનો પ્લાન ઘણા સમયથી બનાવ્યો હતો. આ મામલામાં મહિલાની કોઈ અન્ય વ્યક્તિએ મદદ કરી છે કે નહીં તે મુદ્દે તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આરોપી મહિલાનું નામ કંચનદેવી છે અને તેના પતિનું થોડાક વર્ષો પહેલા મૃત્યુ થયું હતું. મહિલાને એક દીકરો અને દીકરી હતા. ગામના લોકોને શંકા છે કે કંચન દેવી એ બે મહિના પહેલા તેની 17 વર્ષની દીકરીનો જીવ લીધો હતો. દિકરી મેટ્રિક્સ ની પરીક્ષા આપીને ઘરે પાછી આવી ત્યારે અચાનક જ તેનું મૃત્યુ થયું હતું. આરોપી માતાએ શા માટે પોતાના બાળકનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ જ પોતાના દીકરાનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*