ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, વર્ષોથી સત્તા ભોગવનાર ભાજપ ગૌશાળા ની ગાયો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી કરી શકતી…

Published on: 9:36 pm, Tue, 19 July 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી એક ખૂબ જ દુઃખદાયક ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પાંજરાપોળમાં એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના કરુણ મૃત્યુ નીપજયા છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે આજે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યમાં વર્ષોથી ભાજપની સરકાર છે અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર ગૌશાળા ની ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ નથી આપી શકતી, વરસાદમાં ગાયુ માટે કોઈપણ સારી વ્યવસ્થા પણ નથી કરી શકતી. આ કારણોસર આજે 20 થી પણ વધારે ગાયોના કરુણ મૃત્યુ નીપજયા છે. ઉપરાંત આ ગાયોની સારવાર માટે જે ડોક્ટરો રાખવામાં આવ્યા હતા તે ક્યાં છે તે કોઈને પણ નથી ખબર.

ઈશુદાન ગઢવી એ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે કે, ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે, તેમને યોગ્ય મેડિકલ સારવાર મળે, ઋતુ પ્રમાણે તેમને રાખવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પરંતુ ગાયો માટેની આ બધી વ્યવસ્થા કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ થઈ ગઈ છે અને એના પરિણામ રૂપે 20થી પણ વધારે ગાયોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓ ફક્ત ભ્રષ્ટાચાર કરવા પર જ ધ્યાન આપે છે, ભાજપના નેતાઓ હંમેશા શોધતા હોય છે કે ક્યાંથી ભ્રષ્ટાચાર કરી શકાય. ઈશુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણી આવે ત્યારે ભાજપના નેતાઓ હંમેશા ગાયો ના નામે વોટ માગે છે, પરંતુ ક્યારેય પણ તેમને ગાયો વિશે કોઈ પણ પ્રકારની ચિંતા થઈ નથી અને ક્યારેય પણ તેમની રખેવાળી કરી નથી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ સરકાર ખૂબ જ નિમ્ન કક્ષાનું કાર્ય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ભલે ગાયોના નામે વોટ માંગતી હોય પરંતુ તેમના કામ પરથી તેની માનસિકતા ગાયના વિરોધમાં હોય તેવું લાગી રહ્યું છે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આ પહેલા પણ અવારનવાર ગાયોના મૃત્યુના સમાચાર આપણે સાંભળ્યા હશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પેટમાં પાણી પણ હલતું નથી. ત્યારે આજે આ ઘટના સામે આવતા જ ગુજરાતની જનતા ભાજપની દોગલી નીતિને પણ જાણી ગઈ છે. આ વખતની આવતી સભામાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, વર્ષોથી સત્તા ભોગવનાર ભાજપ ગૌશાળા ની ગાયો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી કરી શકતી…"

Leave a comment

Your email address will not be published.


*