વલસાડમાં દિવ્યાંગ યુવકે એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું પગલું…

Published on: 12:26 pm, Sat, 2 April 22

છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી આવતા હોય છે અથવા તો ઘણા માનસિક બીમારીથી કંટાળીને, ઘણા લોકો કોઈના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે વલસાડમાં બનેલી તેવી ઘટના સામે આવી છે.

વલસાડના નનકવાડા ખાતે રહેતો માનસિક દિવ્યાંગ યુવકે એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતદેહને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર વલસાડના નનકવાડા ખાતે રહેતો 32 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવક મનન રાકેશ ભાઈ દેસાઈ શુક્રવારના રોજ સવારે તિથલ રોડ પર આવેલા સરવાણી એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર યુવકના પિતાની સાથે પોતાના ફોઈને મળવા ગયો હતો. પરંતુ મને પહેલા માળે તેના ફોઈને મળતો નથી અને ટેરેસ પર જઈને નીચે છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ ઘટના બનતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ માનસિક દિવ્યાંગ મનને બીમારીથી કંટાળીને એપારમેન્ટના ધાબા પર થી કુદી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં દિવ્યાંગ યુવકે એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું પગલું…"

Leave a comment

Your email address will not be published.


*