વલસાડમાં 31 વર્ષના યુવાન ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:16 am, Fri, 1 April 22

વલસાડમાં એક યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી મુજબ આ ઘટના વલસાડના રાખોડિયા તળાવ પાસે બની હતી. અહીં એકલા રહેતા એક યુવકે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી મુજબ સવારે યુવક બહાર ન દેખાતા પડોશીએ તેના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે પડોશીએ ઘરની અંદર જઈને જોયું ત્યારે યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના બનતા જ લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર વલસાડના રાખોડિયા તળાવ નજીક ગાયત્રી શાળાની પાછળ રહેતા અને એકલવાયું જીવન જીવતા 31 વર્ષીય રિતેશ અરૂણભાઇ પાવર નામના યુવકે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ બનાવની જાણ પડોશીને થઈ હતી.

પડોશીએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામેલા રિતેશના એક હાથમાં મોબાઈલ ફોન હતો. રિતેશના મૃત્યુની પાછળ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

પોલીસે રિતેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. રિતેશે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગભગ આઠ દિવસ પહેલા રાખોડિયા તળાવ નજીક એક યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ બીજો બનાવ સામે આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં 31 વર્ષના યુવાન ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*