સુરતમાં આ ચાર સ્થળ પર બની શકે છે મેટ્રો રેલ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન, જાણો.

Published on: 10:41 am, Tue, 1 June 21

ગુજરાતમાં મેટ્રો નું કામ ચાલી રહ્યું છે અને અમદાવાદમાં તો કામ એકદમ સ્પીડ માં ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે. આ ઉપરાંત સુરતમાં પણ મેટ્રો ની કામગીરી શરૂ થઈ ગઈ છે. નિર્ધારિત કરેલા રસ્તા નું ટેસ્ટિંગ કરવામાં આવેલ છે.

દિલ્હી થી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યા છે. આ મશીન નો ઉપયોગ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં થાય છે. અલ્યા મશીન ટેસ્ટિંગ અને તેને જાણવા માટે થાઈલેન્ડ એક ટીમ બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતમાં ચાર સ્થળ ઉપર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવી છે.

દિવાળીની આસપાસ અંડરગ્રાઉન્ડ મેટ્રોના રસ્તા બનાવવાનું કામકાજ શરૂ થઈ શકે છે. ચોક બજાર થી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.4 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. અને આ કામ જેટલું બને તેટલું ઝડપીથી કરવામાં આવશે.

આ ઉપરાંત લંબે હનુમાન રોડ પર અંડરગ્રાઉન્ડ સેકસન માટે લોન્ચ કરવાની સંભાવના છે. જમીનથી ૧૬ થી ૨૦ મીટર અંદર બનાવવામાં આવશે. અંદર ગ્રાઉન્ડ રસ્તો ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ લાભેશ્વર અને સુરત સ્ટેશન સહિત કુલ ચાર સ્ટેશન બનાવવામાં આવશે.

મેટ્રો નું તમામ કાર્ય ૨૦૨૩ સુધી પતી જાય તેવી સંભાવના. સુરત શહેરની જનતા આતુરતાથી મેટ્રો રેલ ની રાહ જોઈ રહી છે. તે માટે તંત્ર પણ કામગીરી ઝડપથી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં આ ચાર સ્થળ પર બની શકે છે મેટ્રો રેલ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન, જાણો."

Leave a comment

Your email address will not be published.


*