સુરતના સ્વામિનારાયણ મંદિરમાં 1.5 કિલો સોનું અને 500 રિયલ ડાયમંડના બનેલા 75 લાખ રૂપિયાના બનેલા ભગવાનના અદભુત વાધા…

Published on: 11:09 am, Fri, 6 May 22

સુરત શહેરના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 75 લાખ રૂપિયાના અદભુત વાઘા પહેરાવવામાં આવ્યા છે. સુરત શહેરની વચ્ચોવચ્ચ આવેલ રામપુરા વિસ્તારમાં વડતાલતાબાના સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરે 186માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પાટોત્સવને યાદગાર બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણને અદભુત વાઘા પહેરાવવામાં આવશે. સવારે 10 વાગે મંદિર અને વડતાલના સંતોની હાજરીમાં ભગવાન સ્વામિનારાયણને વાઘા અર્પણ કરવામાં આવશે.

ભગવાન સ્વામિનારાયણને 1.5 કિલો સોનામાંથી બનેલા અદભુત વાઘા પહેરાવવામાં આવશે. સોનાના આ વાધામાં 500 રિયલ ડાયમન્ડ લગાડવામાં આવ્યા છે. જેનાથી વાઘા ચમકી ઉઠયા છે. ભગવાનને અર્પણ કરવામાં આવેલા આ વાઘાની ચમક કંઈક અલગ જ છે.

મળતી માહિતી મુજબ આ અદભુત વાઘા મુંબઈમાં 12 કારીગરોએ 6 મહિનાની ભારે મહેનત બાદ બનાવ્યા છે. 1.5 કિલો સોનું અને 500 રીયલ ડાયમંડના વાઘાની કિંમત 75 લાખ રૂપિયા છે. હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની અર્પણ કરાયેલ આ સોનેરી વાઘાના દર્શન કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના સ્વામિનારાયણ મંદિરમાં 1.5 કિલો સોનું અને 500 રિયલ ડાયમંડના બનેલા 75 લાખ રૂપિયાના બનેલા ભગવાનના અદભુત વાધા…"

Leave a comment

Your email address will not be published.


*