શ્રીમદ ભાગવત કથામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટે બાઈક પર બરફ લઈને આવી રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 4:17 pm, Tue, 10 May 22

સોમવારના રોજ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના સોમવારના રોજ બપોરના સમયે માનપુરમાં બની હતી. બાઈક સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર એક યુવક ગામમાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમ માટે બરફ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ત્યાં સારવાર દરમ્યાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર માનપુર જિલ્લામાં આવેલા ગઢી ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું છે. કથામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટે 21 વર્ષીય સંતોષ પ્રજાપતિ નામનો યુવક બાઈક પર બરફ લઈને ગામે જઇ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં અચાનક બાળક બેકાબૂ થતાં સ્લીપ ખાઇ ગઇ હતી. આ ઘટનામાં સંતોષના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બન્યા બાદ સંતોષને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન સંતોષનું કરૂણ મૃત્યુ થયું હતું.

અકસ્માતના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભાગવત કથાથી ગામમાં સર્જાયેલા ધાર્મિક વાતાવરણમાં એકોએક માતમ છવાઇ ગયો હતો. આવી સ્થિતિમાં ભાગવત કથા ચોથા દિવસે બંધ રાખવામાં આવી છે. જ્યારે યુવકની અર્થી ઉઠી ત્યારે આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શ્રીમદ ભાગવત કથામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટે બાઈક પર બરફ લઈને આવી રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*