ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે અને હવે ઠંડીની ઋતુનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે. રાજ્ય ની પાસે આવેલો દરિયો એટલે કે અરબ સાગરમાં હીલચાલ થઈ રહી છે.
અરબ સાગર માં એક લો પ્રેશર સિસ્ટમ આવી છે અને તેની અસર ગુજરાતને થવાની શક્યતા છે. કેટલાક માધ્યમોમાં એવા અહેવાલ આવ્યા છે તેમાં વાવાઝોડાનું સ્વરૃપ લઈ શકે છે.
આ ઉપરાંત વાવાજોડું સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે.
દરિયામાં આગળ વધશે કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તે પહેલા મજબૂત બની શકે છે. જેને કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
પરંતુ આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના વિશે હજુ કોઈ જાણ નથી.હવામાન વિભાગે એવી કોઇ માહિતી આપી નથી કે અરબ સાગર માં વાવાઝોડું સર્જાઈ છે
અને હાલની સ્થિતિ પ્રમાણે એવી શક્યતા દર્શાવી રહી છે કે જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જાણો શું કહ્યું હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે?"