કોરોના નું સંક્રમણ વધતા રાજ્યમાં ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા સિવાય તમામ પરીક્ષા રદ,વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓ થશે પાસ

Published on: 4:37 pm, Thu, 8 April 21

મહારાષ્ટ્રમાં શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12 સિવાય ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર આગળ ના વર્ષમાં ચઢાવી દેવાનો નિર્ણય કર્યો છે.મહત્વની વાત છે કે ધોરણ 10 અને 12ના બોર્ડ ના વિદ્યાર્થીઓને પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.

અને આ પરીક્ષા નું ટાઈમ ટેબલ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને ઉપરાંત તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે.અને તે વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ આગલા ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ને જોતાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ બુધવારના રોજ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોનાવાયરસ ના કારણે રાજ્યમાં શાળાઓમાં ઓફલાઇન પરીક્ષા લેવી મુશ્કેલ છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષા રદ કરી છે.

મહારાષ્ટ્રમાં પહેલા ધોરણ 1 થી 8 સુધીની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી એટલે હવે માત્ર બોર્ડની પરીક્ષા જ લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા રાજ્યમાં ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા સિવાય તમામ પરીક્ષા રદ,વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓ થશે પાસ"

Leave a comment

Your email address will not be published.


*