દિવાળીની ખુશીઓમાં પરિવારમાં માતમ છવાયો..! એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા… અકસ્માતની ઘટના જોનાર લોકોના ટાંટિયા ધ્રુજી ગયા…

Published on: 5:21 pm, Sat, 22 October 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અમુક એવી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે અમરેલી જિલ્લામાં બનેલી એક તેવી જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ધનતેરસ ના શુભ દિવસે ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ધારીથી ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને અમરેલી તરફ જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં હિંગળાજ મંદિર નજીક ખાનગી બસ અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. બસ પણ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી.

બસ મુંબઈ તરફ જઇ રહી હતી ત્યારે રસ્તામાં તેની અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં શશીકાંતભાઈ હસમુખભાઈ રાજ્યગુરુ, વિશાલભાઈ ધીરુભાઈ જોશી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહેશભાઈ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર ત્રણેયના કરુણ મૃત્યુ થયા છે.

દિવાળીના તહેવારના સમયે જ અકસ્માતની ઘટના બનતા ખુશીના બદલે પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી એને અકસ્માત કેવી રીતે સર્જાયો હતો. પોલીસે તેની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અલગ અલગ લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળીની ખુશીઓમાં પરિવારમાં માતમ છવાયો..! એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા… અકસ્માતની ઘટના જોનાર લોકોના ટાંટિયા ધ્રુજી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*