સાસુ-સસરાની ગેરહાજરીમાં પુત્રવધુએ ભરી લીધું મોટું પગલું, આમાં વિચારી નાનકડી દીકરીનો શું વાંક?

Published on: 5:50 pm, Sat, 17 September 22

દેશમાં દરરોજ ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. ઘણા એવા બનાવવા હોય છે જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ રીતે ઘટના સામે આવી છે. 26 વર્ષ લલિતા દેવી નામની મહિલા પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. પારિવારિક જીવન તેનું ખૂબ જ સારું ચાલતું હતું. મહિલાએ પોતાના લગ્ન જીવનમાં એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. મહિલાના પડોશમાં જ એક યુવક રહેતો હતો

. આ યુવકનું નામ સોહન સિંહ હતું. સોહનસિંહ લલીતાદેવીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી અને પોતાની સાથે લલિતા દેવીને ભગાડીને લઈ ગયો હતો. ત્રણ દિવસ બાદ સોહનસિંહ લલીતાને કાઢી મૂકે છે. ત્યારબાદ મહિલાના સાસરિયાવાળા તેને સમજાવીને ઘરે પરત રાખી લે છે. આ ઘટના બનતા જ લલિતા દેવીના સાસરીયા વાળાઓને તેના ઉપરથી વિશ્વાસ પડી ગયો હતો.

એટલું જ નહીં પરંતુ પાડોશમાં રહેતા સોહનસિંહનો પરિવાર પણ મહિલાથી ખૂબ જ નફરત કરવા લાગ્યો હતો. માત્ર ત્રણ દિવસમાં જ સોહનસિંહ અને લલિતા દેવીનું પ્રેમ પ્રકરણ ભાંગી ગયું હતું. ત્યારબાદ બંને પોત પોતાના ઘરે પરત આવી ગયા હતા. આ બનાવ બન્યા બાદ સોહનસિંહના માતા-પિતા તેમજ દાદા-દાદી લલીતા દેવીને ખૂબ જ કડવા વચન કહેવા લાગ્યા હતા.

એટલું જ નહીં પરંતુ લલિતા દેવીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જ્યારે એક દિવસ લલીતાદેવીના સાસુ સસરા બજારમાં ખરીદી કરવા માટે ગયા. ત્યારે ઘરે લલિતા દેવી અને તેની નાનકડી દીકરી હાજર હતા. ત્યારે લલિતા દેવી એવું પગલું ભર્યું કે તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. જ્યારે લલિતા દેવીના સાસુ-સસરા બજારમાંથી ખરીદી કરીને ઘરે પરત ફર્યા, ત્યારે પુત્રવધુ લલિતા દેવીને પંખા સાથે લટકતી હાલતમાં જોઈ હતી.

આ ઉપરાંત જમીન પર માસુમ દીકરીનું મૃતદેહ પડ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને લલિતા દેવીના પરિવારના લોકોએ પડોશના વ્યક્તિઓ ઉપર આરોપ નાખ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને મહિલાના ભાઈએ પડોશીઓ ઉપર ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેની બહેન લલીતા દેવીને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતા હતા. પ્રેમ પ્રકરણનો કિસ્સો બન્યા બાદ સોહનસિંહના માતા-પિતા લલિતા દેવીને ખૂબ જ હેરાન કરતા હતા અને તેનો જીવ લેવાની પણ ધમકી આપતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હજુ પણ મહિલાએ આ પગલું કયા કારણોસર ભર્યું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાસુ-સસરાની ગેરહાજરીમાં પુત્રવધુએ ભરી લીધું મોટું પગલું, આમાં વિચારી નાનકડી દીકરીનો શું વાંક?"

Leave a comment

Your email address will not be published.


*