સુરતમાં આમ આદમી પાટીએ ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું, ભાજપના કાર્યકર્તા જોડાયા AAP માં…

Published on: 4:40 pm, Wed, 2 June 21

સુરતમાં ગઇકાલે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ભાજપના 35 થી વધુ સક્રિય કાર્યકરો ગઈકાલે ભાજપનો પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને દક્ષિણ ઝોન સંગઠનના મંત્રી શ્રી રામ ભાઈ ધડુક ની હાજરીમાં AAPમાં જોડાયા હતા.

ભાજપમાંથી AAP માં આવતા કાર્યકર્તા નામ જોઈએ તો વોડ નંબર 5 ના યુવા મોરચા મહામંત્રી શ્રી વિપુલભાઈ સખીયા ભાજપ છોડીને આપમાં જોડાયા.

ત્યારબાદ બીજા વોર્ડ નંબર 5 ના યુવા મોરચાના મંત્રી શ્રી યાજ્ઞિક ભાઈ કાકડિયા પણ આપમાં જોડાયા. વોડ નંબર 5 ના યુવા મોરચાના કારોબારી સભ્ય શ્રી રૂપેશભાઈ લાખણીકિયા આપમાં જોડાયા. વોડ નંબર 5 ના કારોબારી સભ્ય મેહુલભાઈ સિદ્ધપરા આપમાં જોડાયા.

વોર્ડ નંબર 4 ના યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને IT કન્વીનર જયેશભાઈ લાખણકિયા આપમાં જોડાયા. વોર્ડ નંબર 4 ના યુવા મોરચાના મંત્રી પ્રીત ભાઇ લાઠીયા આપમાં જોડાયા. આ ઉપરાંત બીજા 29 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં આમ આદમી પાટીએ ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું, ભાજપના કાર્યકર્તા જોડાયા AAP માં…"

Leave a comment

Your email address will not be published.


*