સુરતમાં બે દીકરાની માતાએ ડાબા હાથમાં સુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મેં જીના ચાહતી હું ઇતની પરેશાની મેં…

Published on: 4:42 pm, Thu, 26 January 23

સુરત શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત પરવત ગામ વિસ્તારમાં એક મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. મહિલાએ મૃત્યુ પહેલા પોતાના ડાબા હાથ ઉપર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મહિલાના મૃત્યુના કારણે બે બાળકો હોય માતાની છત્રછાયા ગુમાવી છે. હાથ ઉપર લખેલી સુસાઇડ નોટ ઉપરથી જાણવા મળી રહ્યું છે કે મહિલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. આ ઘટનાને લઈને મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદના આધારે વધુમાં તપાસ હાથ ધરી છે. મહિલાનો પતિ તેને અવારનવાર ત્રાસ આપતો હતો આખરે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભરી લીધું હતું.

પતિના ત્રાસથી મહિલા આટલી કંટાળી ગઈ હતી કે તેને પોતાના મૃત્યુ પહેલા હાથ ઉપર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ સીતાબેન હતું. સીતાના લગ્ન રિતી રિવાજ મુજબ 2014માં પ્રવીણ છોટુનાથ ગોસ્વામી સાથે થયા હતા. લગ્ન ગાળા દરમિયાન દંપત્તિને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પ્રવીણ ગોસ્વામી રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સીતાના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્ર છાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે લગ્નના ત્રણ વર્ષ બાદ પ્રવીણ ગોસ્વામી પોતાની પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. 2018માં સિતાએ પોતાની માતા અને ભાઈને પતિ ત્રાસ આપે છે તેવી વાતની જાણ કરી હતી. તેથી માતા અને ભાઈ તેની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યા હતા. ત્યારે પ્રવીણ ગોસ્વામી એ તેની પત્નીને કહ્યું હતું કે,’ તું તારા ભાઈ તેમજ માને કેમ અહીં બોલાવે છો’ તેમ કહીને સીતાના ભાઈ સાથે માથાકૂટ કરી હતી અને બંનેને રાત્રે ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

વર્ષ 2022 માં પતિના ત્રાંસથી કંટાળીને સીતા પોતાના બાળકોને લઈને પોતાના પિતાના ઘરે જતી રહી હતી. એકાદ મહિના બાદ પ્રવીણ સુરતમાં રહેતા પોતાના શાળા સાથે ઝઘડો કર્યો હતો. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી આપતા જ પતિ વતનમાં આવ્યો હતો અને પોતાની પત્ની સાથે સમાધાન કર્યું હતું. ત્યારબાદ પોતાની પત્ની અને બંને બાળકોને લઈને સુરત આવ્યો હતો.

અહીં આવ્યા બાદ ફરી એક વખત પ્રવીણ એ પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.. પ્રવીણ પોતાની પત્ની સીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે પોતાના પતિના ત્રાસથી કંટાળીને સીતાએ ગત 24 જાન્યુઆરીના રોજ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પહેલા તેને પોતાના ડાબા હાથ ઉપર સુસાઇડ નોટ પણ લખી હતી.

જેમાં તેને લખ્યું હતું કે ‘મુજે મેરા પતિ બહુત પરેશાન કરતા હૈ, મેરી કોઈ ગલતી નહિ હૈ, મેં જીના ચાહતી હું. ઇતની પરેશાની મે કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. મેરા પતી ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઓર સસુર જી કી કોઈ ગલતી નહી હૈ. મે થક ગઈ હું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બે દીકરાની માતાએ ડાબા હાથમાં સુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મેં જીના ચાહતી હું ઇતની પરેશાની મેં…"

Leave a comment

Your email address will not be published.


*