રાણપુરમાં એક પતિએ તેની પત્ની અને ભાભીનો છરી વડે જીવ લીધો, જાણો શા માટે કર્યું આવું

Published on: 10:07 am, Wed, 1 September 21

આજકાલ સોશિયલ મીડિયામાં અમુક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશે. ત્યારે તેવી જ ઘટના રાણપુર તાલુકાના ગુંદા ગામ ની સામે આવી છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારના સમયે એક પતિએ તેની પત્ની અને તેમના ભાભી ને છરી લગાવી દીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ ગુંદા ગામ માં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ભીખાભાઈ સુરસગભાઈ ડોડીયા અને તેમના પત્ની હર્ષાબેન ભીખાભાઈ ડોડીયા પોતાના ઘરે એકલા હતા.

તે દરમિયાન તેમના ભાભી ધીરજબેન કપડાં ધોવા માટે ભીખાભાઈ ના ઘરે આવ્યા હતા. ત્યારે ભીખાભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી.

ત્યારે તેમના ભાભી ધીરજબેન આ બોલાચાલીમાં વચ્ચે પડયા અને ભીખાભાઈ તેમના પત્ની અને તેમના ભાભીને છરી લગાવી દિધી હતી.

અને ત્યારબાદ ભીખાભાઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ભીખાભાઈ ની ધરપકડ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ઘરે ત્રણ સભ્યો હાજર હતા તેના કારણે હજુ પણ આ ઘટનાનું સાચું કારણ શું છે તે સામે આવ્યો નથી. મૃત્યુ પામેલા હર્ષાબેન ડોડીયા 51 વર્ષના હતા અને તેમના ભાભી ધીરજબેન ડોડીયા 55 વર્ષના હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાણપુરમાં એક પતિએ તેની પત્ની અને ભાભીનો છરી વડે જીવ લીધો, જાણો શા માટે કર્યું આવું"

Leave a comment

Your email address will not be published.


*