રાજકોટમાં બે માસુમ બાળકોની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 2:45 pm, Tue, 23 August 22

મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રેતી એક મહિલા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

મૃત્યુ પામેલી મહિલાના પિતાનો આક્ષેપ છે કે, તેમની દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. જેના કારણે મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરાયું છે. તેમજ પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજકોટ શહેરના રૈયા રોડ પર દર્શન પાર્કમાં રહેતા મિતલબેન યોગેશભાઈ સાકરીયા નામના 35 વર્ષે મહિલાએ પોતાના ઘરે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મિતલબેનના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મિતલબેન ના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. મિતલબેનના મૃત્યુના કારણે એક દીકરાએ અને એક દીકરીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.

મિતલબેનના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મિતલબેનના માવતર કાલાવડના તાલપુરમાં રહે છે. મિતલબેનના પિતાનું નામ રતિલાલ કપુરીયા છે. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને રતિલાલ રાજકોટ દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને મિતલબેન ના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, મારી દીકરી એક મહિના પહેલા જ્યારે કાલાવડ મારા ઘરે આવી હતી. ત્યારે તે કહેતી હતી કે તેનો પતિ યોગેશ તેની સાથે ગેરવર્તન કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે તેને સતત ત્રાસ આપે છે. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે મિતલબેન ના પિતાનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં બે માસુમ બાળકોની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*