રાજકોટમાં પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, પત્નીએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો

Published on: 4:47 pm, Thu, 14 April 22

હાલમાં રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલ જડેશ્વર પાર્કમાં પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જ્યારે પત્ની એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પત્નીનું કરૂણ મૃત્યુ થયું છે.

જ્યારે પત્નીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઉપરાંત આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ જડેશ્વર પાર્ક બેમાં 29 વર્ષીય જયદીપભાઇ બચુભાઈ બોરીયા પોતાની 26 વર્ષીય પત્ની જયશ્રીબેન અને દોઢ વરસના દીકરા સાથે રહેતા હતા.

જયદીપભાઇ ગળેફાંસો ખાઇ લીધો હતો અને તેમની પત્ની જયશ્રીબેન એસિડ પી લીધું હતું. આ ઘટના બન્યા બાદ બંને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે જયદીપ ભાઇને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જયશ્રીબેનની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, સાડા ત્રણ વર્ષ પહેલા જયદીપભાઇ અને જયશ્રીબેનના લગ્ન થયા હતા. હાલમાં તેમને દોઢ વર્ષનો પુત્ર છે. જયદીપભાઇ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગઈકાલે રાત્રે જ્યારે નવ વાગ્યાની આસપાસ જયદીપભાઇ ઘરે આવ્યા ત્યારે જયશ્રીબેન દીકરાને સાચવવાનું જયદીપભાઇ ને કહ્યું હતું. બસ દોઢ વર્ષના દીકરાને સાચવવાને લઈને બંને વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ ગઇ હતી. જેના કારણે જયદીપભાઇ ઉશ્કેરાઇને ઘરના ઉપરના રૂમમાં ચાલ્યા ગયા હતા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

જ્યારે જયશ્રીબેન ઉપરની રૂમમાં જોવા ગયા ત્યારે જયદીપભાઇનું લટકતો મૃતદેહ જોઈને જયશ્રીબેનને બાથરૂમમાં પડેલો એસિડનો બાટલો ગટગટાવી લીધો હતો. આ ઘટના બનતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જયદીપ ભાઇને મૃત જાહેર કર્યા હતા. હાલમાં જયશ્રીબેનની સારવાર ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, પત્નીએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો"

Leave a comment

Your email address will not be published.


*