રાજકોટમાં એક દીકરીએ કંટાળીને ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે : “સોરી પપ્પા”, સુનીલના કારણે હું…

Published on: 2:45 pm, Sat, 14 May 22

હાલમાં રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દિપાલી રાજુભાઈ પરમાર નામની એક યુવતી પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર ઘટના બનતા જ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

યુનિવર્સિટી પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસને દિપાલીએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં દીકરીએ જણાવ્યું છે કે, સુનીલ નામના યુવકના કારણે હું મારું આ અંતિમ પગલું ભર્યું છું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને સુનિલની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ દિપાલીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું પોતાનું જીવન ટુંકાવ્યું છું, મને આ પગલું ભરવા માટે સુનિલ કુકડીયાએ મજબૂર કરે છે. અને સુનીલ ન બોલવાનું બોલતો હતો. મારા મમ્મી પપ્પાને પણ ન હોવાનું કહ્યું હતું. છેલ્લે સુસાઇડ નોટમાં દિપાલીએ લખ્યું કે, સોરી પપ્પા…

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીપાલીના પિતાની ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા સુનિલ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દિપાલીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ત્યારે કેટલીક એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, દિપાલી અને સુનીલ વચ્ચે પ્રેમ સંબંધ હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. ત્યારે કોઈ કારણોસર સુનિલની સગાઈ અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનિલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હતો.

એટલું જ નહીં પરંતુ સુનિલ દિપાલી અને તેમના માતા-પિતાને માનસિક ત્રાસ આપતો હતો તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને સુનિલની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં એક દીકરીએ કંટાળીને ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે : “સોરી પપ્પા”, સુનીલના કારણે હું…"

Leave a comment

Your email address will not be published.


*