પાટણમાં એક અજાણ્યા શખ્સે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યુવકનો જીવ લઈ લીધો – મૃત્યુનું કારણ હજુ પણ…

Published on: 10:46 am, Sat, 2 April 22

છેલ્લા થોડાક દિવસોથી જીવ લઈ લેવાની ઘટનાઓ વધી રહી છે. નાની અમથી બાબત પર માથાકૂટ કરીને એકબીજાનો લોકો જીવ લઇ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શંખેશ્વરમાં ગઈકાલે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર સિક્યુરિટીમાં ફરજ બજાવતા યુવકનો અજાણ્યા વ્યક્તિએ જીવ લઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. કયા કારણોસર યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શંખેશ્વર ખાતે રહેતા અને જીવણદાસ ગોડીદાસની પેઢીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સમરતદાન મોજદાન ગઢવી જેવો શંખેશ્વર પંચાયત પાસેથી નીકળ્યો ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેના પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો.

આ ઘટનામાં યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.  ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનો પણ આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણમાં એક અજાણ્યા શખ્સે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યુવકનો જીવ લઈ લીધો – મૃત્યુનું કારણ હજુ પણ…"

Leave a comment

Your email address will not be published.


*