પાટણમાં એક બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્તી ટક્કર, બાઈક ચાલકનું મૃત્યુ…

Published on: 10:24 am, Tue, 21 December 21

આજકાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતના એક જણાની બેદરકારીના કારણે બીજા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે પાટણ માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ પાટણના કંબોઈ ગામ લોકાચાર જઈ રહેલા એક બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. પાછળથી જબરદસ્ત ટક્કર લગાવવાને કારણે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

આ ઉપરાંત અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી વાહન લઇને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર સિદ્ધપુરમાં નવાવાસ તુરી બારોટ વાસમાં રહેતા 55 વર્ષીય અમરતભાઈ મગનલાલ તુરી બારોટ સોમવારની વહેલી સવારે પોતાની GJ 24 AC 3958 નંબરની બાઈક લઈને કંબોઈ ગામે લોકાચાર માટે નીકળ્યા હતા.

ત્યારે રાજપુર ગામ નજીક એક અજાણ્યા વાહનચાલકે અમરતભાઈ ની બાઇકને પાછળથી જબરદસ્ત લગાવી હતી. આ સમગ્ર ઘટનામાં અમરત ભાઈ રહે ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ ઘટના બનતા જ અન્ય વાહનચાલકો અને આજુબાજુના લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પાટણ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણમાં એક બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્તી ટક્કર, બાઈક ચાલકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*