આ મહિલાની બહેનના કેન્સરના રિપોર્ટ નોર્મલ આવે તે માટે માં મોગલની માનતા રાખી, 21 દિવસ બાદ પછી થયું કાંઈક એવું કે…

Published on: 7:33 pm, Fri, 1 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલના દર્શન માત્રથી બધા જ ભક્તોના દુઃખ દૂર થાય છે અને બધી જ મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ જો માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સાથે સાથે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.

આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે.એવામાં આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિલા પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ધામે આવી પહોંચ. માં મોગલ ક્યારે પોતાના ભક્તને દુઃખી જોઈ શકતી નથી.

એવામાં ભક્તો પણ માં મોગલના આશીર્વાદ માત્ર થી ધન્ય ધન્ય થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવી ત્યારે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા.

એવામાં મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી. એ મહિલાએ કહ્યું કે તેની બહેનને રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે તેને કેન્સર છે ત્યારે કેન્સરની વાત સાંભળતાની સાથે જ પરિવારમાં બધા જ લોકો દુઃખી થઈ ગયા હતા અને ચિંતિત હતા. એવામાં આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો એવામાં મેં મોગલ પર શ્રદ્ધા રાખી અને માનતા માની હતી.

આ મહિલાએ માં મોગલ ની મનોમન માનતા રાખી હતી અને બીજા જ દિવસથી તેણે માં મોગલનો ઘરમાં ધૂપ કરવા લાગી. એવામાં 21 દિવસ થયા અને એ દિવસ રિપોર્ટ કરાવ્યો ત્યારે એ રિપોર્ટ સારો આવ્યો.એ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવી પહોંચી હતી.

મણીધર બાપુને એ 5500 રૂપિયા આપ્યા ત્યારે મણીધર બાપુએ એ 5500રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે અને આ રૂપિયા તું તારી બેનને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને કોઈ દાન પેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલાની બહેનના કેન્સરના રિપોર્ટ નોર્મલ આવે તે માટે માં મોગલની માનતા રાખી, 21 દિવસ બાદ પછી થયું કાંઈક એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*