દીકરાને નોકરી લાગી જાય તે માટે પિતાએ માં મોગલની માનતા રાખી, પિતા જ્યારે માનતા પૂરી કરવા 51000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:47 pm, Thu, 7 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે, ત્યારે ભક્તો પણ માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માં મોગલ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય અને ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે.

ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક પિતા પોતાના દીકરા માટે માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

આ કિસ્સા પરથી કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાજી રાજી થશે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવક કે કહ્યું કે પોતાના દીકરા ને સારી એવી નોકરી મળી જશે તો માં મોગલના ચરણે 51 રૂપિયા અર્પણ કરીશ. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા એ 51 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા.

અને કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. એવામાં જ માં મોગલ પર વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. એ પિતાએ પોતાના દીકરા માટે માનેલી માનતા પૂરી થતાની સાથે જ પિતા કબરાઉ ધામ આવીને પોતાની માનતા પૂરી કરે છે.

ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી.એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાને નોકરી લાગી જાય તે માટે પિતાએ માં મોગલની માનતા રાખી, પિતા જ્યારે માનતા પૂરી કરવા 51000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*