સુરતના નાના વરાછા વિસ્તારમાં તાપી નદીના ઓવારા પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવી આશંકાઓ…

Published on: 4:44 pm, Fri, 15 April 22

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ રામજીમંદિર પાસે તાપી નદીના ઓવર પરથી એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ત્યારબાદ કાપોદ્રા પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. હાલમાં કાપોદ્રા પોલીસે યુવકના ઓળખ બાબતે તપાસ હાથ ધરી છે. યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવી આશંકાઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર સુરત નાના વરાછા રામજી મંદિર તાપી નદીના પુલ પાસે નદીમાં સ્થાનિક લોકોએ એક યુવકનો મૃતદેહ જોયું હતું.

ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને કાપોદ્રા પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકની ઉંમર અંદાજે 30 થી 35 વર્ષની હશે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે તાપી નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હોય છે. મળતી માહિતી અનુસાર યુવકનું મૃતદેહ કોહવાયેલ હાલતમાં જોવા મળ્યું હતું.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવકનો મૃતદેહ બે થી ત્રણ દિવસ સુધી પડેલું હશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સ્થાનિક લોકોનું નિવેદન લીધું હતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ આ યુવકને ઓળખતું નથી. કાપોદ્રા પોલીસે હવે યુવકના ઓળખ બાબતે અને યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેને લઈને તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના નાના વરાછા વિસ્તારમાં તાપી નદીના ઓવારા પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવી આશંકાઓ…"

Leave a comment

Your email address will not be published.


*