સુરતના કામરેજમાં એક 13 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું આ પગલું

Published on: 6:26 pm, Wed, 23 February 22

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં આવા બનાવોની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરતના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં 13 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી.

બાળકે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર બાળકે સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતાનો પ્રેમ ન મળતાં બાળકે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર બાળકને બાવાએ કહ્યું હતું કે, જો તારે માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાંઈ ન કરે. પોલીસે સોસાયટી નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 13 વર્ષના બાળકની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પપ્પા મારે તો જીવવું હતું પણ શું કરવું.

આજે તમે ગયા પછી બાવાએ મને કહ્યું હતું કે, તારે મમ્મી ને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાંઈ ન કરે. પછી મેં વિચાર્યું કે શું કરવું. પછી મેં વિચારીને આ અંતિમ પગલું ભર્યું છે.

મળતી માહિતી અનુસાર દોઢ વર્ષ પહેલા મૃત્યુ પામેલા બાળકના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. બાળકની માતા બાવા સાથે ચાલી ગઇ હતી. મૃત્યુ પામેલા બાળકે સુસાઇડ નોટમાં કોઈ બાવા નો ઉલ્લેખ કર્યો છે.

બાળકે સુસાઇડ નોટમાં પોતાની માતાને મળવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાવો કોણ છે ક્યાંનો છે તેની પોલીસ શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના કામરેજમાં એક 13 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું આ પગલું"

Leave a comment

Your email address will not be published.


*